Share Market Timing: ભારતીય શેરબજારમાં ટ્રેડિંગનો સમય વધારવાની તૈયારીઓ ચાલી રહી છે. સમાચાર અનુસાર, ટ્રેડિંગનો સમય સાંજે 5 વાગ્યા સુધી વધારી શકાય છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે મંગળવારે એક બિઝનેસ ચેનલને ટાંકીને આ સમાચાર આપ્યા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ટ્રેડિંગના કલાકો વધારવા માટે બજારના સહભાગીઓ સાથે પ્રારંભિક વાટાઘાટો ચાલી રહી છે. અગાઉ, માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) એ 2018 માં ટ્રેડિંગ કલાક વધારવા માટે એક માળખું બહાર પાડ્યું હતું.


અત્યારે શેરબજારમાં સવારે 9.15 થી બપોરે 3.30 વાગ્યા સુધી ટ્રેડિંગ થાય છે. શેરબજારમાં કેશ અને ફ્યુચર્સ અને ઓપ્શન્સ સેગમેન્ટમાં સવારે 9.15 થી બપોરે 3.30 વાગ્યા સુધી ટ્રેડિંગ થાય છે.


સ્ટોક એક્સચેન્જના ઇક્વિટી અને ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ્સ હાલમાં સવારે 9:15 થી બપોરે 3:30 વાગ્યા વચ્ચે ટ્રેડિંગ માટે ખુલ્લા છે. સેબી દ્વારા પહેલેથી જ એક ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવ્યું હતું, જે F&O ટ્રેડિંગને 11:55 વાગ્યા સુધી અને ઈક્વિટી ટ્રેડિંગને સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લું રાખવાની મંજૂરી આપે છે.


દેશનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ઇક્વિટી સેગમેન્ટમાં ટ્રેડિંગ કલાક વધારવા માંગે છે. આ પહેલીવાર નથી કે જ્યારે ટ્રેડિંગના કલાકો વધારવાની વાત થઈ હોય.


ગયા મહિને સેબીએ એક SOP જારી કરીને સ્ટોક એક્સચેન્જોને જણાવ્યું હતું કે ટ્રેડિંગમાં કોઈપણ વિક્ષેપની જાણ તમામ સંબંધિતોને 15 મિનિટની અંદર કરવી જોઈએ. આ સિવાય સેબીએ અમુક સંજોગોમાં ટ્રેડિંગના કલાકો વધારવા અંગે પણ સૂચનાઓ આપી હતી.


સેબીનું કહેવું છે કે, જો કોઈ ટેકનિકલ કારણ કે અન્ય કોઈ કારણસર શેરબજારોમાં ટ્રેડિંગ અટકી જાય છે, તો બજારના તમામ સહભાગીઓને તેની જાણ કરવામાં આવે એટલું જ જરૂરી નથી, પરંતુ જરૂર પડ્યે ટ્રેડિંગના કલાકો પણ લંબાવી શકાય છે. આનાથી ઇન્ટ્રાડે પોઝિશન્સ સરળતાથી સેટલ કરવાની તક મળશે.


જો કે, દરેક જણ ટ્રેડિંગ કલાક વધારવાની તરફેણમાં નથી. ઝેરોધાના સીઈઓ નીતિન કામથે ટ્વિટર પર આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેઓ માને છે કે આ નિર્ણયથી વેપારીઓ પર વિપરીત અસર પડી શકે છે. તેમણે કહ્યું કે, આ નિર્ણયથી લાંબા ગાળે ઓછી ભાગીદારી અને તરલતાની સમસ્યા થઈ શકે છે. તેની સાથે વેપાર સિવાયના વેપારીઓના જીવન પર પણ તેની ખરાબ અસર પડી શકે છે.