Investors Loss In Market Crash: ભારતીય શેરબજાર માટે આજનો દિવસ કાળો સોમવાર સાબિત થઈ રહ્યો છે. વિદેશી રોકાણકારોની વેચવાલીના કારણે મુંબઈ સ્ટોક એક્સચેન્જના ઈન્ડેક્સ સેન્સેક્સમાં 1500 પોઈન્ટથી વધુ અને નિફ્ટીમાં 400 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક કારણોસર ભારતીય શેરબજારમાં આવેલા આ ઘટાડાથી રોકાણકારોએ બજાર ખુલ્યાની થોડી જ મિનિટોમાં રૂ. 6 લાખ કરોડ ગુમાવ્યા છે.


રોકાણકારોને રૂ. 6 લાખ કરોડનું નુકસાન થયું છે


ગયા સપ્તાહે શુક્રવારે બજાર બંધ થયું ત્યારે BSE પર લિસ્ટેડ શેરોની માર્કેટ મૂડી રૂ. 251.84 લાખ કરોડ હતી, જે ઘટીને રૂ. 246.12 લાખ કરોડ થઈ ગઈ છે. બજારમાં ઘટાડાની સ્થિતિ એ છે કે 3403 શેરોમાંથી 2624 શેર લાલ નિસાનમાં ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે માત્ર 655 શેર લીલા નિસાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. 241 શેરોમાં નીચલી સર્કિટ છે.


બજાર કેમ ઘટ્યું


હકીકતમાં અમેરિકામાં મોંઘવારી 40 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે 14 થી 15 જૂનના રોજ ફેડરલ રિઝર્વ ઓફ અમેરિકાની બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં ફેડ રિઝર્વ વ્યાજ દરો વધારવાનો નિર્ણય લઈ શકે છે. આવી સ્થિતિમાં, શેરબજારમાં રોકાણ કરનારા રોકાણકારો સુરક્ષિત સ્થળોએ રોકાણ કરવા માટે વિશ્વભરના શેરબજારોમાંથી તેમના રોકાણને વેચી રહ્યા છે.


રૂપિયામાં સતત ઘટાડો ચાલુ છે


ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. ડોલર સામે રૂપિયો ઘટીને રૂ.78.26ના રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો છે. જેના કારણે આયાત મોંઘી થઈ રહી છે. કંપનીઓનો ખર્ચ વધી રહ્યો છે. જેના કારણે આ કંપનીઓએ ભાવ વધારવો પડશે, જેની અસર સ્થાનિક માંગ પર પડશે. સરકારની રાજકોષીય ખાધ પણ વધી શકે છે. જૂનમાં વિદેશી રોકાણકારોએ તેમનું રૂ. 14,000 કરોડનું રોકાણ પાછું ખેંચી લીધું છે.