Small Saving Schemes: નાની બચત યોજનાના રોકાણકારો થયા નિરાશ, PPF, સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરમાં ન થયો વધારો

નાણા મંત્રાલયના આ નિર્ણયથી પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરનારા રોકાણકારોને સૌથી વધુ નિરાશ થયા છે જેઓ વ્યાજદરમાં વધારાની અપેક્ષા રાખતા હતા.

Continues below advertisement

Small Saving Schemes Rates:  સરકારની નાની બચત યોજનાઓમાં (small saving schemes investors) રોકાણ કરનારા રોકાણકારો સતત બીજા ત્રિમાસિક ગાળામાં નિરાશ થયા છે. ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના જુલાઈથી સપ્ટેમ્બરના બીજા ત્રિમાસિક ગાળા માટે PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના (sukanya samriddhi yojana) સહિત પોસ્ટ ઓફિસ ડિપોઝિટ સેવિંગ્સ સ્કીમના (post office fixed deposit savings scheme) વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નાણા મંત્રાલયે કહ્યું કે આ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Continues below advertisement

 નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2024-25 ના બીજા ત્રિમાસિક સમયગાળા માટે નાની બચત યોજનાઓ જે 1 જુલાઈ 2024 થી શરૂ થઈ રહી છે અને 30 સપ્ટેમ્બર 2024 ના રોજ સમાપ્ત થશે તેના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે જ વ્યાજ દર જે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 1 એપ્રિલથી 30 જૂન, 2024 સુધી હતા, તે આના પર ઉપલબ્ધ રહેશે.

નાણા મંત્રાલયના આ નિર્ણયથી પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરનારા રોકાણકારોને સૌથી વધુ નિરાશ થયા છે જેઓ વ્યાજદરમાં વધારાની અપેક્ષા રાખતા હતા. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળાથી પબ્લિક પ્રોવિડન્ટ ફંડના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે સરકારે PPF સિવાય તમામ બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો કર્યો છે.

છેલ્લા દોઢ વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજના સહિત તમામ બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે. સુકન્યા સમૃદ્ધિ યોજના પર 8.2 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. 3 વર્ષની મુદતવાળી થાપણો પર 7.1 ટકા વ્યાજ આપવામાં આવે છે. આ સિવાય સેવિંગ ડિપોઝિટ પર 4 ટકા, 1 વર્ષની ટાઈમ ડિપોઝિટ પર 6.9 ટકા વ્યાજ, 2 વર્ષની ટાઈમ ડિપોઝિટ પર 7 ટકા વ્યાજ, 5 વર્ષની ડિપોઝિટ પર 7.5 ટકા વ્યાજ અને 5 વર્ષની રિકરિંગ પર 6.7 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.   

Continues below advertisement
Sponsored Links by Taboola