Sukanya Samriddhi Yojana withdrawal rules 2026: દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) એક શાનદાર રોકાણ છે. મોટાભાગના લોકો તેમાં ખાતું તો ખોલાવી દે છે અને એમ વિચારે છે કે બેંકની જેમ ગમે ત્યારે તેમાંથી પૈસા ઉપાડી શકાશે. પરંતુ, આ યોજનાના નિયમો એટલા સીધા નથી. ખાતું ખોલાવ્યાના 21 વર્ષ પછી જ તે મેચ્યોર થાય છે. જોકે, અમુક ખાસ સંજોગોમાં દીકરી 18 વર્ષની થાય ત્યારે તેના ઉચ્ચ શિક્ષણ કે લગ્ન માટે શરતોને આધીન પૈસા ઉપાડી શકાય છે. ચાલો આ નિયમોને સરળ ભાષામાં સમજીએ જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન પડે.

Continues below advertisement

21 વર્ષે મેચ્યોર થાય છે ખાતું

સુકન્યા સમૃદ્ધિ યોજનાને ઘણીવાર લોકો "રોકાણ કરો અને ભૂલી જાઓ" (લોક એન્ડ ફોરગેટ) વાળી સ્કીમ માને છે. તમે દીકરીના નામે ખાતું ખોલાવો છો, નિયમિત હપ્તા ભરો છો અને તેને 21 વર્ષ માટે વધવા દો છો. લાંબા ગાળાની બચત માટે આ એક બેસ્ટ ઓપ્શન છે. પણ, આમાં તમે ધારો ત્યારે પૈસા ઉપાડી શકતા નથી. ખાતું ખોલાવ્યાની તારીખથી બરાબર 21 વર્ષ પછી જ તે પૂર્ણ રૂપે મેચ્યોર થાય છે અને ત્યાં સુધી સંપૂર્ણ રકમ ઉપાડવા પર પ્રતિબંધ હોય છે.

Continues below advertisement

ક્યારે અને કેટલા પૈસા ઉપાડી શકાય?

દીકરીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે અમુક સંજોગોમાં પૈસા ઉપાડવાની છૂટછાટ આપી છે:

શિક્ષણ માટે: જો તમારી દીકરી 18 વર્ષની ઉંમર પૂરી કરી લે, તો તમે ખાતામાં જમા થયેલા કુલ બેલેન્સના 50% સુધીની રકમ ઉપાડી શકો છો. (આ રકમ પાછલા નાણાકીય વર્ષના અંતે રહેલા બેલેન્સ પર ગણાય છે).

પુરાવા જરૂરી: આ પૈસા માત્ર દીકરીના ઉચ્ચ શિક્ષણના ખર્ચ (જેમ કે કોલેજની ફી, એડમિશનનો ખર્ચ વગેરે) માટે જ ઉપાડી શકાય છે. પૈસા ઉપાડતી વખતે તમારે એડમિશનનો પુરાવો અથવા કોલેજનું ફી સ્ટ્રક્ચર (Fee Structure) બતાવવું પડશે.

હપ્તામાં ઉપાડ: તમારે આ 50% રકમ એકસાથે ઉપાડવાની જરૂર નથી. તમે તમારી જરૂરિયાત મુજબ તેને દર વર્ષે હપ્તામાં પણ ઉપાડી શકો છો.

આ પણ વાંચોઃ સુકન્યા સમૃદ્ધિ યોજના: દીકરીના ખાતામાં જમા થશે ₹69,27,578, જાણો તમારે કેટલું રોકાણ કરવું પડશે?

સમય પહેલાં ખાતું ક્યારે બંધ કરાવી શકાય?

અમુક ખાસ કિસ્સાઓમાં ખાતું 21 વર્ષ પહેલાં એટલે કે સમય પહેલાં બંધ કરાવી શકાય છે:

દીકરીના લગ્ન: જો દીકરી 18 વર્ષની ઉંમર વટાવી ચૂકી હોય અને તેના લગ્ન લેવાના હોય, તો લગ્નના કારણસર ખાતું સંપૂર્ણપણે બંધ કરી શકાય છે.

દુઃખદ ઘટના કે આર્થિક સંકટ: જો કોઈ કારણસર ખાતાધારકનું મૃત્યુ થાય અથવા પરિવાર પર કોઈ અચાનક મોટી આર્થિક મુશ્કેલી આવી પડે, તો પણ અકાળે (સમય પહેલા) ખાતું બંધ કરવાની પરવાનગી મળે છે.

ખાસ નોંધ: ઘણા લોકો એવું માની લે છે કે બેંકની ફિક્સ ડિપોઝિટ (FD) કે સેવિંગ ખાતાની જેમ આમાંથી પણ જ્યારે મન થાય ત્યારે પૈસા ઉપાડી શકાશે, પરંતુ આવું બિલકુલ નથી. એટલે જ તેમાં રોકાણ કરતા પહેલા આ કડક નિયમો જાણી લેવા હિતાવહ છે.

આ પણ વાંચોઃ નાની બચત યોજના પર મોટો નિર્ણય: PPF અને સુકન્યા સમૃદ્ધિના નવા વ્યાજ દરો જાહેર!