UPI Payment:  તમે માત્ર થોડી જ સેકન્ડોમાં કોઈપણના ખાતામાં UPI પેમેન્ટ દ્વારા પૈસા મોકલી શકો છો. UPI પેમેન્ટ સાથે પેમેન્ટની ટેવ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. કોઈપણ બિલ ચૂકવવા અને પૈસા ટ્રાન્સફર કરવા ખૂબ જ સરળ બની ગયું છે.  પરંતુ જો તમે UPI દ્વારા ખોટો વ્યવહાર (ખોટુ UPI પેમેન્ટ) કરશો તો શું થશે ? ખોટા વ્યવહારો પછી ઘણા લોકો ચિંતિત રહે છે. પરંતુ આવા સમયે ગભરાવાની જગ્યાએ, તમે ફક્ત કેટલાક સરળ પગલાંને અનુસરીને તમારા પૈસા પાછા મેળવી શકો છો.


ખોટી જગ્યાએ UPI ચુકવણી થાય ત્યારે શું કરવું?


જો તમે ખોટી જગ્યાએ UPI પેમેન્ટ કરો છો, તો સૌથી પહેલા બેંકના ગ્રાહક સેવા કેન્દ્ર પર ફોન કરો. જો તમે ઈચ્છો તો UPI સેવા પ્રદાતાનો પણ સંપર્ક કરી શકો છો. ટોલ ફ્રી નંબર 18001201740 પર કોલ કરીને પણ ફરિયાદ કરી શકાય છે. જેમાં તમારે પેમેન્ટની તમામ માહિતી આપવાની રહેશે. આરબીઆઈએ પણ આ અંગે લોકોને જાણ કરી હતી. આરબીઆઈના નિયમો અનુસાર, તમે પહેલા તમારા પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડરને ખોટા પેમેન્ટ વિશે જાણ કરીને ઝડપથી રિફંડ મેળવી શકો છો.


કસ્ટમર સર્વિસ પર સંપૂર્ણ વિગતો સમજાવો. રિવર્સ ટ્રાન્ઝેક્શનનું કારણ જણાવો. જેવું તમે તેમને જણાવશો કે ખોટી વ્યક્તિને પૈસા ગયા છે અને અનઓથોરાઈઝ્ડ ટ્રાન્ઝેક્શન છે. કસ્ટમર સર્વિસ સ્ટાફ તમારી સમસ્યાનું મૂલ્યાંકન કરવા માટે તમારા દ્વારા અપાયેલી જાણકારીનો ઉપયોગ કરશે.      


તમે અહીં પણ ફરિયાદ કરી શકો છો


જો તમે ઉકેલથી સંતુષ્ટ ન હોવ, તો તમે NPCI પોર્ટલ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકો છો. પોર્ટલ પર જઈને તમારે What We Do ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. જ્યાં તમને ઘણા વિકલ્પો મળશે. જેમાંથી UPI નો વિકલ્પ પસંદ કરો. હવે ફરિયાદ વિભાગ પર જાઓ અને બધી માહિતી દાખલ કરો. જેમાં તમારે તમારી બેંકનું નામ, UPI ID, ફોન નંબર, ઈમેલ આઈડી જેવી માહિતી ભરવાની રહેશે.


તમે લોકપાલને પણ ફરિયાદ કરી શકો છો


જો તમારી ફરિયાદના 30 દિવસ પછી પણ તમને પૈસા પાછા ન મળે, તો તમે બેંકિંગ ઓમ્બડ્સમેનને ફરિયાદ કરીને પૈસા પાછા મેળવી શકો છો.