કોઈપણ બિલ ચૂકવવા અને પૈસા ટ્રાન્સફર કરવા ખૂબ જ સરળ બની ગયું છે. તમે માત્ર થોડી જ સેકન્ડોમાં કોઈપણના ખાતામાં પૈસા મોકલી શકો છો. UPI પેમેન્ટ સાથે પેમેન્ટ કરવાની રીત સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. પરંતુ જો તમે UPI દ્વારા ખોટો વ્યવહાર (ખોટુ UPI પેમેન્ટ) કરશો તો શું થશે ? ખોટા વ્યવહારો પછી ઘણા લોકો ચિંતિત રહે છે. પરંતુ આવા સમયે ગભરાવાની જગ્યાએ, તમે ફક્ત કેટલાક સરળ પગલાંને અનુસરીને તમારા પૈસા પાછા મેળવી શકો છો.


UPI ચુકવણી અલગ ખાતામાં થઈ જાય તો શું કરશો ?


જો તમે ખોટી જગ્યાએ UPI પેમેન્ટ કરો છો, તો સૌથી પહેલા બેંકના ગ્રાહક સેવા કેન્દ્ર પર ફોન કરો. જો તમે ઈચ્છો તો UPI સેવા પ્રદાતાનો પણ સંપર્ક કરી શકો છો. ટોલ ફ્રી નંબર 18001201740 પર કોલ કરીને પણ ફરિયાદ કરી શકાય છે. જેમાં તમારે પેમેન્ટની તમામ માહિતી આપવાની રહેશે. આરબીઆઈએ પણ આ અંગે લોકોને જાણ કરી હતી. આરબીઆઈના નિયમો અનુસાર, તમે પહેલા તમારા પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડરને ખોટા પેમેન્ટ વિશે જાણ કરીને ઝડપથી રિફંડ મેળવી શકો છો.


જો તમે ઉકેલથી સંતુષ્ટ ન હોવ, તો તમે NPCI પોર્ટલ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકો છો. પોર્ટલ પર જઈને તમારે What We Do ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. જ્યાં તમને ઘણા વિકલ્પો મળશે. જેમાંથી UPI નો વિકલ્પ પસંદ કરો. હવે ફરિયાદ વિભાગ પર જાઓ અને બધી માહિતી દાખલ કરો. જેમાં તમારે તમારી બેંકનું નામ, UPI ID, ફોન નંબર, ઈમેલ આઈડી જેવી માહિતી ભરવાની રહેશે.


તમે લોકપાલને પણ ફરિયાદ કરી શકો છો


જો તમારી ફરિયાદના 30 દિવસ પછી પણ તમને પૈસા પાછા ન મળે, તો તમે બેંકિંગ ઓમ્બડ્સમેનને ફરિયાદ કરીને પૈસા પાછા મેળવી શકો છો. 


UPI મની ટ્રાન્સફર ભારતીયોના રોજિંદા જીવનનો એક ભાગ બની ગઈ છે. નેશનલ ઍક્સચેન્જ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા (NBCI) દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર 2023માં નવેમ્બર મહિના દરમિયાન 17 ટ્રિલિયન UPI ટ્રાન્ઝૅક્શન કરવામાં આવ્યાં હતાં. 


એનબીસીઆઈએ Google Pay, Paytm, PhonePay જેવી ઍપને એક વર્ષથી વધુ સમયથી ઍક્ટિવેટ ન થયેલા UPI IDને તાત્કાલિક નિષ્ક્રિય કરવા માટે નિર્દેશ આપ્યો છે.