Lok Sabha 2024 Live Update: ઈન્દ્રનીલ રાજ્યગુરૂ ગાંધીજી વિશે એવું તો શું બોલ્યા કે, કૉંગ્રેસ નેતાઓએ પણ હાથ કર્યાં અદ્ધર

લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસારની વચ્ચે નેતાઓનો વાણી વિલાસ પણ સામે આવી રહ્યો છે. ગાંધીજી વિશે ઈન્દ્રનીલ રાજ્યગુરૂના નિવેદનથી વિવાદ સર્જાયો છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 03 May 2024 03:01 PM

બ્રેકગ્રાઉન્ડ

Lok Sabha  2024 Live Update: લોકસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં પ્રચંડ પ્રસાર કાર્ય ચાલી રહ્યું છે. જો આ બધાની સાથે નેતાઓની બેલગામ નિવેદનબાજી પણ સામે આવી રહી છે. જેના કારણે વિવાદ અને...More

Lok Sabha Election 2024: રાજકોટમાં શક્તિસિંહે ઉઠાવ્યો રૂપાલાનો મુદ્દો

જકોટમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રૂપાલા પર આકરા પ્રહારો કર્યા હતા. શક્તિસિંહ ગોહિલે રૂપાલાએ રાજવીઓના કરેલા અપમાન પ્રહારો કર્યા હતા. શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે રૂપાલા જ્ઞાતિઓ વિરૂદ્ધ બફાટ કરવા ટેવાયેલા છે. રૂપાલાએ ઈતિહાસથી વિપરિત નિવેદન આપ્યા છે.શક્તિસિંહ ગોહિલે ભાજપને અહંકારી પાર્ટી ગણાવી હતી. અહંકારની સામે અસ્મિતાની લડાઈનો શક્તિસિંહે દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે ધાનાણી અસ્મિતાને જાળવવા ચૂંટણી લડી રહ્યા છે. પક્ષની વિનંતી પર ધાનાણી ચૂંટણી લડી રહ્યા છે. ધાનાણી ક્ષત્રિય માતા-બહેનોના આશીર્વાદ લેવા આવ્યા છે. કેશુભાઈ પટેલનું પણ રૂપાલાએ અપમાન કર્યું હતું