= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok sabha Election 2024: કોંગ્રેસના ઉમેદવારોની ફોર્મ ભરવાની તારીખ થઈ નક્કી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવારોની ફોર્મ ભરવાની તારીખ નક્કી થઇ છે. બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર 15 એપ્રિલે ફોર્મ ભરશે, સુરેન્દ્રનગર કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા 15 એપ્રિલે ફોર્મ ભરશે. તો જામનગર કોંગ્રેસના ઉમેદવાર મારવિયા 15 એપ્રિલે અને બારડોલી કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી 15 એપ્રિલે, કચ્છ કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણ 16 એપ્રિલે,સાબરકાંઠા કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી 16 એપ્રિલે,ગાંધીનગર કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલ 16 એપ્રિલે, અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભરત મકવાણા 16 એપ્રિલે ફોર્મ ભરશે અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંમ્મર 16 એપ્રિલે અને છોટાઉદેપુર કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા 16 એપ્રિલે,વલસાડ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ 16 એપ્રિલે,પંચમહાલ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ 16 એપ્રિલે ભરશે,પોરબંદર કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા 16 એપ્રિલે,પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી 18 એપ્રિલે અને જુનાગઢ કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા 18 એપ્રિલે ફોર્મ ભરશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રૂપાલના વિરોધમાં હિંમતનગરમાં વિશાળા ક્ષત્રિય અસ્મિતા સંમેલન રાજ્યભરમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોતમ રૂપાલાની ઉમેદવારીને લઇને ક્ષત્રિયો વિરોધ કરી રહ્યાં છે.વિવાદિત નિવેદનથી શરૂ થયેલો વિરોધ શમવાનું નામ લેતો નથી. આજે આ મુદે હિંમતનગરમાં ક્ષત્રિય સમાજ અસ્મિતા સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય ઉપસ્થિત રહ્યાં હતા. ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા. ક્ષત્રિય સમાજની પહેલાથી જ એક જ માંગ છે કે, રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવામાં આવે છે. રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગ સાથએ ક્ષત્રિય સમાજ અડગ છે. અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય અગ્રણીઓએ સંબોધન કર્યું હતું, સમગ્ર સંમેલનનો માત્ર એક જ અજેન્ડા છે કે, ટિકિટ રદ કરવી, સંમેલનમાં ટિકિટ રદ નહીં થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચીમકી પણ આપવામાં આવી છે. અન્ય સંગઠનના ક્ષત્રિય સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યાં હતા. હિંમતનગરમાં આયોજીત ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં સંકલન સમિતિના કરણસિંહ ચાવડા,વિજયસિંહ ચાવડા,મહીસાગર મહિલા પ્રમુખ નીરૂબા,અભીજીતસિંહ યુવા પ્રમુખ સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ચારણ સમાજ રાજપૂત સમાજની સાથે છે: કબરાઉ મોગલધામના મણિધર બાપુ કબરાઉ મોગલધામના મણિધર બાપુએ પણ ક્ષત્રિયોને સમર્થન આપ્યું છે. ક્ષત્રિય સમાજના વિરોધ પર મણિધર બાપુએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “ચારણો રાજપૂત સમાજની સાથે છે.અપમાન સામેની લડાઈમાં ક્ષત્રિયોની સાથે ચારણ સમાજ પણ છે. સડેલા રાજકારણમાં મહિલાઓ નહીં પુરુષો બહાર આવે. ક્ષત્રિયોનું અપમાન થાય એમા અઢારે વરણ જોડાયેલી,આવા રાજકારણ માટે જૌહર ન કરાયા,ક્ષત્રિયાણીઓ સાથે ચારણ સમાજ ઉભો છે”
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok sabha Election 2024 LIVE :ચૂંટણી પહેલા મહિલાઓ માટે તેજસ્વી યાદવની મોટી જાહેરાત રાષ્ટ્રીય જનતા દળ (RJD) એ લોકસભા ચૂંટણી માટે પાર્ટીનો 'પરિવર્તન પત્ર' નામનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. દરમિયાન, મેનિફેસ્ટો જાહેર કર્યા પછી, તેજસ્વી યાદવે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ટ્વિટ કર્યું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok sabha Election 2024 LIVE :યુથ કોંગ્રેસને બહાદુર પ્રમુખ મળ્યો પીપીસી ચીફ જીતુ પટવારીએ કહ્યું કે યુથ કોંગ્રેસને એક બહાદુર પ્રમુખ મળ્યો છે જેની નસોમાં કોંગ્રેસનું લોહી વિરાસતથી વહે છે, તેમના પિતા સ્વર્ગસ્થ દર્શન સિંહ યાદવે પણ ગ્વાલિયરમાં જિલ્લા અધ્યક્ષનું પદ સંભાળીને કોંગ્રેસ સંગઠનને મજબૂત કર્યું છે. માત્ર રાજ્ય જ નહીં પરંતુ દેશની ભાજપ સરકારોએ દેશ અને રાજ્યના યુવાનોને છેતર્યા છે. યુવાનો રોજગાર માટે ભટકી રહ્યા છે અને વડાપ્રધાન કહેતા હતા કે એક વર્ષમાં બે કરોડ યુવાનોને રોજગાર આપશે, રોજગાર ક્યાં છે, કોને મળ્યો?
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok sabha Election 2024 LIVE: સીએમ મોહન આજે શહડોલ, રીવા, સતના અને ટીકમગઢમાં કરશે પ્રચાર, રોડ શો શહડોલ, રીવા, સતના અને ટીકમગઢ લોકસભાના ચૂંટણી પ્રચાર પર આજે મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવ રેલી યોજશે. શનિવાર, 13 એપ્રિલના રોજ ભોપાલથી જબલપુર થઈને બપોરે 12.30 કલાકે શાહડોલ લોકસભાની પુષ્પરાજગઢ વિધાનસભાના ગામ કરપા પહોંચશે અને જનસભાને સંબોધિત કરશે.બપોરે 1.15 વાગ્યે રીવા લોકસભાની સિરમૌર વિધાનસભાના ડભોરામાં જાહેર સભાને સંબોધશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok sabha Election 2024 LIVE: રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનો પ્રચંડ પ્રચાર Lok sabha Election 2024 LIVE: ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરષોતમ રૂપાલા ચૂંટણી લડવાના મક્કમ ઇરાદા સાથે પ્રવાસ કરી રહ્યા છે. રાજકોટ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં રૂપાલાએ જીત માટે મતદાતાને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો. હનુમાન મઢી ચોકમાં રૂપાલાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંસદ, ધારાસભ્યો, મનપાના કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યાં છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok sabha Election 2024 LIVE: રાજકોટના રતનપરમાં કાલે ક્ષત્રિય સમાજનું યોજાશે સંમેલન એક બાજુ લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ સક્રિયતાથી પ્રચાર પ્રસાર કરી રહી છે. તો બીજી તરફ તેના વિરોધમાં ક્ષત્રિય સમાજનું સતત વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાશે, જેમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહેશે. ક્ષત્રિય સમાજના સંમેલનને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે,250થી વધુ પોલીસકર્મીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે,
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok sabha Election 2024 LIVE: લોકસભાની બાકીની ચાર બેઠકોના કૉંગ્રેસ આજે જાહેર કરશે નામ લોકસભાની બાકીની ચાર બેઠકોના કૉંગ્રેસ આજે નામ જાહેર કરશે,વિધાનસભા પેટાચૂંટણીની પાંચ બેઠકો માટે પણ નામ જાહેર થશે. સાંજે ચાર વાગ્યે દિલ્લીમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે.રાજકોટ બેઠકથી પરેશ ધનાણી ઉમેદવાર તરીકે નક્કી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. નવસારીથી નૈષદ દેસાઈ ઉમેદવાર તરીકે નક્કી છે. તો અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ ઉમેદવાર તરીકે નક્કી છે અને મહેસાણાથી ઠાકોર સમાજના ઉમેદવારની પસંદગી થઇ શકે છે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok sabha Election 2024 LIVE: ભાવનગર શહેર કોંગ્રેસના મહિલા પ્રમુખના કેસરિયા ભાવનગર શહેર કોંગ્રેસના મહિલા પ્રમુખે ભાજપમાં જોડાયા.છ દિવસમાં જ ભાવનાબેન વોરાએ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે છ દિવસ પહેલા શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ પદે ભાવનાબેન વોરાની નિયુક્તિ કરવામાં આવી હતી. ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં તેમણે કેસરિયો ધારણ કર્યો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok sabha Election 2024 LIVE:ડિસાના પૂર્વ MLAએ સુરક્ષા,હિન્દુત્વને બનાવ્યો ચૂંટણીનો મુદ્દો લોકસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં જોરશોરથી પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે. પૂર્વ MLA શશીકાંત પંડ્યાએ હિન્દુત્વના નામે મત આપવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, બેન-દીકરીને સલામત રાખવા ભાજપને મત આપો. તેમણે કૉંગ્રેસ માટે વાપર્યા આલિયા-માલિયા જમાલિયાના શબ્દો કહ્યું કૉંગ્રેસને હિન્દુના મતની જરૂર નથી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok sabha Election 2024 LIVE: મિશન દક્ષિણ પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ લોકસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ દક્ષિણમાં ખાસ કરીને એડી ચોટીનું જોર લગાવી રહી છે.તેમણે અહીં આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, “ તમિલનાડુમાં અમે સારૂ પ્રદર્શન કરીશું, વિપક્ષ હંમેશા સનાતન અને રામ મંદિરનો વિરોધ કરતા રહ્યાં છે. DMK અને AIDMKના ભ્રષ્ટાચારથી જનતા ત્રાહિમામ છે. PM મોદીને જબરદસ્ત જનસમર્થન મળી રહ્યું છે,PM પર જેટલી વ્યક્તિગત ટિપ્પણી થશે, તેટલું જ વધુ જનસમર્થન મળશે,દક્ષિણમાં આ વખતે મતની સાથે બેઠક પણ વધશે