Corona NEWS Update: આપ કોરોના સંક્રમિત વિસ્તારમાં પ્રવેશી રહ્યા છો’ એવા બોર્ડ હવે જોવા નહીં મળે, જાણો શું છે વિગત

Corona NEWS Update:સુરતમાં હવે  આપ કોરોના સંક્રમિત વિસ્તારમાં પ્રવેશી રહ્યા છો’ એવા બોર્ડ હવે જોવા નહીં મળે, સંક્રમિત વિસ્તારોમાં કોરોના ચેતવણીના બોર્ડ દૂર કરવા આદેશ અપાયો છે.

gujarati.abplive.com Last Updated: 03 Feb 2022 10:05 AM

બ્રેકગ્રાઉન્ડ

Corona NEWS Update:સુરતમાં હવે  આપ કોરોના સંક્રમિત વિસ્તારમાં પ્રવેશી રહ્યા છો’ એવા બોર્ડ હવે જોવા નહીં મળે, સંક્રમિત વિસ્તારોમાં કોરોના ચેતવણીના બોર્ડ દૂર કરવા આદેશ અપાયો છે. બે સપ્તાહમાં કોરોનાના...More

રાજકોટમાં શહેરમાં વધતો જતો મૃત્યુઆંક ચિંતાજનક, બીજી લહેરની જેમ ત્રીજી લહેરમાં પણ મૃત્યુઆંકમાં વિસંગતતા જોવા મળી

રાજકોટમાં શહેરમાં વધતો જતો મૃત્યુઆંક ચિંતાજનક, બીજી લહેરની જેમ ત્રીજી લહેરમાં પણ મૃત્યુઆંકમાં વિસંગતતા જોવા મળી.
બીજી લહેરની જેમ ત્રીજી લહેરમાં પણ મૃત્યુઆંકમાં વિસંગતતા જોવા મળી રહી છે. જાન્યુઆરી માસના મનપાના મૃત્યુઆંક અને સ્મશાનના મૃત્યુઆંકમાં જોવા  વિસંગતતા જોવા મળી રહી છે. મનપાના ચોપડે ગત માસમાં ૨૧ દર્દીઓના મોત થયા છે તો
સ્મશાનમાં કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે ૬૧ દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.


 


મહીસાગર  જિલ્લામાં  જિલ્લામાં આજે કોરોનાના 8 પોઝીટીવ કેસ નોંધાયા, લુણાવાડા તાલુકામાં 2 કડાણા તાલુકામાં 1, ખાનપુર તાલુકામાં 4 અને સંતરામપુર તાલુકામાં 1 કેસ નોંધાયો છે. જિલ્લામાં આજે 7 દર્દી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા તો હાલ જિલ્લામાં કોરોનાના 122 એક્ટિવ કેસ છે.


સ્મશાનના આંકડા
રામનાથ પરા સ્મશાન ૪૬ લોકો
બાપુનગર સ્મશાન ૬ લોકો
મોટામૌવા સ્મશાન ૪ લોકો
મવડી સ્મશાન ૫ લોકોના કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે અંતિમવિધી કરાઇ.

મનપાના ચોપડે મોત
તારીખ -16     2 લોકોના મોત
તારીખ  -22    1 લોકોના મોત
તારીખ  -24   2 લોકોના મોત
તારીખ  26   1 લોકોના મોત
તારીખ 27  3 લોકોના મોત
તારીખ 28  4 લોકોના મોત
તારીખ 29  3 લોકોના મોત
તારીખ 30  3 લોકોના મોત