Corona News Update Live: રાજકોટ સિવિલ હોસ્પિટલના 50 કર્મચારી કોરોનાગ્રસ્ત, જાણો કોરોના સંબંધિત દરેક અપડેટ

રાજકોટ સિવિલ હોસ્પિટલ ના 50 કર્મીઓ કોરોના સંક્રમિત થયા છે.નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મીઓ, તબીબો સહિત 50 કર્મીઓ કોરોના સંક્રમિત થયા છે. તમામ પોઝિટિવ કર્મી હોમ આઇસોલેશનમાં છે.

gujarati.abplive.com Last Updated: 23 Jan 2022 10:26 AM

બ્રેકગ્રાઉન્ડ

રાજકોટ  સિવિલ હોસ્પિટલ ના 50 કર્મીઓ કોરોના સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં  કુલ 50 જેટલા કર્મીઓ કોરોના સંક્રમિત થયા છે.નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મીઓ, તબીબો સહિત 50 કર્મીઓ કોરોના સંક્રમિત થયા...More

દ્વારકાના કોરોનાના કારણે મંદિરના દ્વાર બંધ હોવા છતાં એક NRI ઘૂસી ગયો, જાણો શું છે મામલો

મોરબી અને વાંકાનેરમાં આજથી રાત્રી કરફ્યુનો અમલ શરૂ થઈ ગયો છે. ગઈકાલે રાત્રે ધમધમતા મુખ્યમાર્ગો આજે રાત્રી કરફ્યુના કારણે સુમસામ બની ગયા છે. આજે બન્ને શહેરોમાં પોલીસ દ્વારા જાહેરનામાંનો અમલ કરાવવા 300 પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાત્રી કર્ફયુના અમલ માટે 125નો પોલીસ સ્ટાફ અને મોરબી શહેર માટે 200 થી વધુ સ્ટાફ ખડેપગે રહે  છે.


દ્વારકાના કોરોનાના કારણે મંદિરના દ્વાર બંધ હોવા છતાં એક NRI ઘૂસી ગયો  હતો.  પોલીસની સતર્કતાના કારણે તુરંત ઝડપી લેવાયો હતો. પોલીસ દ્વારા NRIને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો છે.