Covid Cases Update: દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં 405 નવા કોરોના કેસ સામે આવ્યાં છે. હાલ અહીં કોરોનાનો પોઝિટિવિટી રેટ 2.07 ટકા છે. તો કેરળમાં શનિવારે 154 કેસ નોંધાયા છે.


શનિવારે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોવિડ -19 ના 405 નવા કેસ નોંધાયા હતા અને સંક્રમણ દર  2.07 ટકા હતો.  જો કે સંક્રમણથી  કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. વિભાગના જણાવ્યા અનુસાર, નવા કેસના  સાથે, કોવિડ -19 ના કુલ કેસ વધીને 19,08,387 થઈ ગયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 26,212 છે.


વિભાગે તેના બુલેટિનમાં જણાવ્યું હતું કે ગઈકાલે કોવિડ-19ના કુલ 19,562 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. શુક્રવારે અહીં કોવિડ-19ના 345 કેસ નોંધાયા હતા અને ચેપનો દર 1.88 ટકા હતો. ગઈકાલે કોઈ દર્દીએ જીવ ગુમાવ્યો ન હતો. બુલેટિન અનુસાર, દિલ્હીમાં કોવિડ-19ના 1467 દર્દીઓ સક્રિય છે, જ્યારે શુક્રવારે તેમની સંખ્યા 1446 હતી.


કેરળમાં 1,544 નવા કેસ


શનિવારે, કેરળમાં કોવિડ -19 ના 1,544 નવા કેસ નોંધાયા હતા, ત્યારબાદ રાજ્યમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 65,63,910 થઈ ગઈ છે. કેરળના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, રાજ્યમાં સંક્રમણને કારણે વધુ 48 દર્દીઓના મોત થયા છે, જે પછી રાજ્યમાં રોગચાળાથી કુલ મૃત્યુઆંક વધીને 69,790 થઈ ગયો છે.


સ્વાસ્થ્ય મંત્રીએ બોલાવી બેઠક


છેલ્લા કેટલાક દિવસોથી કેરળમાં કોવિડ-19ના નવા કેસની સંખ્યા દરરોજ એક હજારથી વધુ થઈ રહી છે. રાજ્યમાં કોવિડ-19ના સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 7,972 થઈ ગઈ છે. કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે રાજ્યમાં કોવિડ-19ની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. મીટિંગ પછી, વીણાએ કહ્યું કે આરોગ્ય વિભાગ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને કોરોના વાયરસનું કોઈ નવું સ્વરૂપ બહાર આવ્યું નથી. મંત્રીએ કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી અને દરેકને માસ્ક પહેરવા અને રસીકરણ કરાવવા અનુરોધ કર્યો છે