Cm Kejriwal in Surat: જો ગુજરાતમાં AAPની સરકાર આવશે તો 300 યુનિટ વીજળી ફ્રી અપાશે: કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સુરત પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

gujarati.abplive.com Last Updated: 21 Jul 2022 01:48 PM

બ્રેકગ્રાઉન્ડ

સુરતઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સુરત પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરત એરપોર્ટ પર મીડિયા સાથેની વાતચીતમાં અરવિંદ કેજરીવાલે...More

AAPનું મિશન ગુજરાત: રેવડીના નિવેદનનો આપ્યો જવાબ

થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેજરીવાલનું નામ લીધા વિના આપ પક્ષની નીતિ પર નિશાન સાંધતા મફતમાં રેવડી વેચવા મામલે નિવેદન કર્યું હતું. જેના જવાબ આપતાં કેજરીવાલે જણાવ્યું કે, આ રેવડી નથી ભગવાનનો પ્રસાદ છે. રાજ્યમાં સારી શિક્ષણ વ્યવસ્થા આપવી. હોસ્પિટલમાં સારી સુવિધા આપવી તે મફતની રેવડી નથી પરંતુ  પાયાનું કામ છે અને ભગવાનનો પ્રસાદ છે”


દારૂબંધીને યોગ્ય રીતે કરાશે અમલી : CM કેજરીવાલ


સુરતમાં કેજરીવાલે જનસભાને સંબોધતા જણાવ્યું કે, ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ દારૂ અનેક રીતે વેચાઇ છે. જો આપની સરકાર ગુજરાતમાં આવી તો આ કાયદાની યોગ્ય રીતે અમલવારી કરવામાં આવશે,