= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કેજરીવાલ મુખ્ય ષંડયંત્રકારી, 100 નહિ, 600 કરોડનું કૌભાંડ, ઇડીનો આરોપ ઇડીએ મુખ્યમંત્રી કેજરીવાલને લિકર પોલીસીમાં ગરબડીના કેસમાં મુખ્ય આરોપી ગણાવ્યા છે. ઇડીએ કહ્યું કે, આ પાર્ટીને એક કંપનીની જેમ ચલાવે છે. પાર્ટીના સાઉથ લોબીથી 100 કરોડ નહિ પરંતુ 600 કરોડની રિશ્વત મળી છે અને તેને ગૌવા ચૂંટણીમાં આ રકમનો ઉપયોગ કર્યો છે. આરોપીના નિવેદન આ વાતને વધુ દ્રઢ કરે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આ દેશમાં કોઇ સુરક્ષિત નહિ: સંજય રાઉત શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે કહ્યું કે ભાજપ માટે ચૂંટણી કપરી છે. લોકોને કષ્ટ આપવાનું તેમનું અભિયાન ચાલુ રહેશે. આજે આ દેશમાં કોઇ સુરક્ષિત નથી.કોઇને પણ જેલમાં પુરી દેવામાં આવે છે. ભારતમાં જે પેર્ટન ચાલી રહી છે તે જ રશિયા અને ચીનમાં પણ ચાલી રહી છે. જનતાએ અરવિંદ કેજરીવાલને તેમના મુખ્યમંત્રી ચૂંટ્યાં છે. તો લોકો જ તેના ભાગ્યનો નિર્ણય કરી શકે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
AAPએ પત્રકાર પરિષદમાં ઉઠાવ્યા પ્રશ્નો દિલ્હીના મંત્રી આતિશી કહે છે, 'દિલ્હીના કહેવાતા એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં છેલ્લા બે વર્ષથી CBI અને ED દ્વારા તપાસ ચાલી રહી છે. આ બે વર્ષમાં એક પ્રશ્ન વારંવાર સામે આવ્યો છે. EDની તપાસમાં મની ટ્રેલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો પૈસા ગયા ક્યાં? AAPના કોઈપણ નેતા, મંત્રી કે કાર્યકર પાસેથી ગુનાની રકમ વસૂલવામાં આવી નથી. આ જ કેસમાં બે દિવસ પહેલા અરવિંદ કેજરીવાલની માત્ર એક વ્યક્તિ શરતચંદ્ર રેડ્ડીના નિવેદનના આધારે ધરપકડ કરવામાં આવી હતી. તેઓ અરબિંદો ફાર્માના માલિક છે. તેને 9 નવેમ્બર 2022ના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું કે તેઓ ક્યારેય અરવિંદ કેજરીવાલને મળ્યા નથી કે તેમની સાથે વાત કરી નથી અને તેમને AAP સાથે કોઈ લેવાદેવા નથી. આ કહ્યા બાદ બીજા જ દિવસે ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ઘણા મહિનાઓ સુધી જેલમાં રહ્યા બાદ તેણે પોતાનું નિવેદન બદલ્યું. તેમણે કહ્યું કે તેઓ અરવિંદ કેજરીવાલને મળ્યા અને તેમની સાથે પ્રોડક્ટ પોલિસી મુદ્દે વાત કરી. આટલું કહેતાં જ તેને જામીન મળી ગયા. પણ પૈસા ક્યાં છે? '
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
શહીદ પાર્કમાં AAPનું પ્રદર્શન AAP ધારાસભ્યો, કાઉન્સિલરો અને AAP સમર્થકો શાહિદી પાર્ક ખાતે ED દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડનો વિરોધ કરી રહ્યા છે. અહીં આજે શહીદ દિનના અવસરે મોટી સંખ્યામાં સીએમ કેજરીવાલના સમર્થકો એકઠા થયા છે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કેજરીવાલની પત્નીએ મુખ્યમંત્રીનો સંદેશ વાંચ્યો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે એક વીડિયો સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું કે, 'તમારા પુત્ર અને તમારા ભાઈ અરવિંદ કેજરીવાલે જેલમાંથી તમારા માટે સંદેશ મોકલ્યો છે. તેમણે કહ્યું છે કે, મારા પ્રિય દેશવાસીઓ, મારી (અરવિંદ કેજરીવાલ) ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી, હું અંદર હોઉં કે બહાર, હું દરેક ક્ષણે દેશની સેવા કરતો રહીશ. મારા જીવનની દરેક ક્ષણ દેશને સમર્પિત છે. મારું જીવન સંઘર્ષમય રહ્યું છે, તેથી આ ધરપકડ મને આશ્ચર્યચકિત કરતી નથી. આપણે ભારતને વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ બનાવવો છે. ભારતની અંદર અને બહાર એવી ઘણી શક્તિઓ છે જે ભારતને કમજોર કરી રહી છે. આપણે આ શક્તિઓને હરાવવાની છે. હું જલ્દી બહાર આવીશ અને મારું વચન પૂરું કરીશ.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આ ખોટો કેસ છેઃ કે. કવિતા એક્સાઇઝ પોલિસી લોન્ડરિંગ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં BRS MLC. કવિતાએ કહ્યું, 'આ ગેરકાયદેસર ધરપકડ છે. અમે તેની સામે કોર્ટમાં લડીશું. આ એક રાજકીય કેસ છે, બનાવટી કેસ છે, ખોટો કેસ છે. અમે તેની સામે લડી રહ્યા છીએ. આમાં કંઈ નવું નથી, તેઓ વારંવાર એક જ વાત પૂછે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કે કવિતાએ કોર્ટમાં જામીન અરજી કરી હતી BRS નેતા કે કવિતાએ એક્સાઇઝ પોલિસી મની લોન્ડરિંગ કેસમાં ટ્રાયલ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આતિશીએ અરવિંદ કેજરીવાલની ધરપકડને લઇને કર્યાં ખુલાસા આતિશીના જણાવ્યા અનુસાર, "અરવિંદ કેજરીવાલની કહેવાતા કૌભાંડ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. માત્ર એક વ્યક્તિના નિવેદનના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિનું નામ શરથ ચંદ્ર રેડ્ડી છે, જે દવા બનાવતી કંપનીના માલિક છે. અરબિંદો ફાર્મા. તેમની અન્ય કંપનીઓ પણ છે. શરથચંદ્ર રેડ્ડીને દિલ્હીની એક્સાઈઝ પોલિસી હેઠળ કેટલીક દુકાનો પણ મળી હતી. તેમને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ ક્યારેય CM કેજરીવાલને મળ્યા નથી કે તેમને AAP સાથે કોઈ લેવાદેવા નથી. .