Breaking NEWS Live Update: જોશીમઠ પર આફત યથાવત, શહેરનો 2.2 ભાગ જમીનમાં ધસી ગયો, ગુજરાતમાં ચાઇનીઝ દોરીએ 3ના લીધા જીવ

ઉત્તરાખંડના જોશીમઠમાં 782 મકાનોમાં તિરાડો નોંધવામાં આવી છે, જ્યારે 148 ઇમારતોને સરકાર દ્વારા રહેવા માટે અસુરક્ષિત તરીકે ચિહ્નિત કરવામાં આવી છે.

gujarati.abplive.com Last Updated: 15 Jan 2023 08:50 AM
દિલ્લીમાં શીત લહેરની આગાહી, જાણો 7 દિવસ શું રહેશે મૌસમનો મિજાજ

જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જેની અસર દિલ્હી-એનસીઆર પર પડી રહી છે. દિલ્હીમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનો સમયગાળો શરૂ થવા જઈ રહ્યો છે. IMD એ આ અંગે મોટું એલર્ટ જાહેર કર્યું છે.આજનું લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે જ્યારે મહત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ ભારતીય હવામાન ભવનમાં વ્યક્ત કરવામાં આવ્યો છે.


19 જાન્યુઆરીથી થોડી રાહત
19 જાન્યુઆરીથી ફરી એકવાર તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. 19 જાન્યુઆરીએ લઘુત્તમ સરેરાશ તાપમાન 8 ડિગ્રી રહેવાનો અંદાજ છે જ્યારે મહત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 20 જાન્યુઆરીએ પણ આ જ સ્થિતિ રહેશે.

દિલ્લીમાં શીત લહેરની આગાહી, જાણો 7 દિવસ શું રહેશે મૌસમનો મિજાજ

જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જેની અસર દિલ્હી-એનસીઆર પર પડી રહી છે. દિલ્હીમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનો સમયગાળો શરૂ થવા જઈ રહ્યો છે. IMD એ આ અંગે મોટું એલર્ટ જાહેર કર્યું છે.આજનું લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે જ્યારે મહત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ ભારતીય હવામાન ભવનમાં વ્યક્ત કરવામાં આવ્યો છે.


19 જાન્યુઆરીથી થોડી રાહત
19 જાન્યુઆરીથી ફરી એકવાર તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. 19 જાન્યુઆરીએ લઘુત્તમ સરેરાશ તાપમાન 8 ડિગ્રી રહેવાનો અંદાજ છે જ્યારે મહત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 20 જાન્યુઆરીએ પણ આ જ સ્થિતિ રહેશે.

Breaking NEWS Live Update: રાજ્યમાં એક જ દિવસમાં સંક્રાંતિ પર ચાઇનીઝ દોરીથી ત્રણનાં મોત

મકર સંક્રાંતિનો તહેવાર ત્રણ પરિવાર માટે કાળમુખો બની ગયો. ત્રણેય પરિવારના સભ્યનો ચાઇનીઝ દોરીના કારણે જીવ ગયો. ગુજરાતમાં એક જ દિવસમાં 3 લોકોના ચાઇનીઝ દોરીના કારણે મોત થયા છે.


વડોદરામાં પતંગની દોરીના કારણે  યુવકનો  અકસ્માત થયો હતો. પતંગની દોરી ગળામાં આવતા  યુવકનો અકસ્માત થયો હતો અને ઘટના સ્થળે જ મોત થયું હતું. દશરથ હાઇવે પાસે આ ઘટના સર્જાઇ હતી. સ્થાનિક પોલીસે યુવકનો મૃતદેહ એસ.એસ.જી હોસ્પિટલ પહોંડ્યો હતો.


મહેસાણામાં પણ ચાઇનીઝ દોરીએ  4 વર્ષીય બાળકીનો જીવ લીધો હતો. વિસનગરના કડા દરવાજા નજીક ઘટના બની હતી. અહીં
4 વર્ષીય માસૂમ દીકરીને  ચાઈનીઝ દોરી વાગતાં ગંભીર ઇજા પહોંચી હતી અને આખરે માસૂમનું મૃત્યુ થયું હતું. માતા બાળકીને તેડી ને જતી હતી એ વખતે ચાઇનીઝ દોરી વાગી જતાં દુર્ઘટના ઘટી હતી.

બીજી તરફ રાજકોટ-કોઠારિયા રોડ પર ચાઇનીઝ દોરીથી ગળું કપાતા 7 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું.
ઋષભ વર્મા નામના બાળકનું ગળામાં ચાઇનીઝ દોરી વાગી જતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. બાદ ઇજાગ્રસ્ત હાલતમાં તેને  સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો બદનસીબે તેને બચાવી શકાયો ન હતો અને  ડોક્ટરે મૃત જાહેર કર્યો. બાળક લોઠડા ગામનો રહેવાસી હતો અને બપોરના સમયે કોઠારિયા શાકમાર્કેટ પાસેથી પસાર થઇ રહ્યો હતો, આ સમયે આ ઘટના બની હતી.


 

બ્રેકગ્રાઉન્ડ

Breaking NEWS Live Update,joshimath, ઉત્તરાખંડના જોશીમઠમાં તિરાડોવાળા મકાનોની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધીમાં, 782 મકાનોમાં તિરાડો નોંધવામાં આવી છે, જ્યારે 148 ઇમારતોને સરકાર દ્વારા રહેવા માટે અસુરક્ષિત તરીકે ચિહ્નિત કરવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની વિશેષ ટીમ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે રવિવારે (15 જાન્યુઆરી) ફરીથી જોશીમઠની મુલાકાત લેશે.


દહેરાદૂનથી જોશીમઠ જનારી ટીમમાં ડિઝાસ્ટર વિભાગના અધિક સચિવ, ભૂસ્તરશાસ્ત્રી અને કેન્દ્ર સરકારના અધિકારીઓ સામેલ હશે. દરમિયાન જોશીમઠમાં તિરાડો પડવાનો વ્યાપ વધી રહ્યો છે તે ચિંતાનો વિષય છે. જોશીમઠનો કેટલોક ભાગ 2.2 ફૂટ એટલે કે 70 સેમી જમીનમાં  ડૂબી ગયો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.