DON’T PANIC Bengaluru:બેંગલુરુ શહેરમાં પાણીની ગંભીર કટોકટી વચ્ચે, બેંગલુરુ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (BWSSB) ના અધ્યક્ષ રામપ્રસાથ મનોહરે રવિવારે જણાવ્યું હતું કે બોર્ડ પાસે જુલાઈ મહિના સુધી શહેર અને તેની બહારના વિસ્તારોમાં પુરવઠા માટે પૂરતું પાણી છે. બોર્ડ દ્વારા આ સ્પષ્ટતા એવા અહેવાલો વચ્ચે આવી છે કે જ્યારે  સિલિકોન સિટી  છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીની કટોકટીનો સામનો કરી રહ્યું છે.


બેંગલુરુ જળ સંકટ:  15 મેથી વધુ પાણી મળશે


મનોહરે જણાવ્યું હતું કે શહેરના રહેવાસીઓએ આ બાબતે ગભરાવાની જરૂર નથી કારણ કે બોર્ડ સમગ્ર શહેરમાં દરરોજ 1,470 એમએલડી પાણીનો સપ્લાય કરે છે. મે પછી બેંગલુરુને 15 મેથી  રોજ કાવેરી પાંચમા તબક્કાના પ્રોજેક્ટના કમિશનને પગલે વધારાનું 775 MLD પાણી મળશે. હાલમાં, શહેર અને તેની બહારના વિસ્તારોની જરૂરિયાત 2,100 MLD પાણીની છે.


BWSSB ચેરમેનના જણાવ્યા અનુસાર, બેંગલુરુની બહારના વિસ્તારમાં રહેતા લોકો બોરવેલ પર નિર્ભર છે. શહેરની આસપાસના અનેક તળાવો સુકાઈ રહ્યા છે અને તેની અસર લોકોના કારણે પાણીની અછત સર્જાઇ  છે. કાવેરી બેસિનના ચાર ડેમમાં માંગને પહોંચી વળવા માટે પૂરતું પાણી છે,


પીવા સિવાય રિફાઇન્ડ કરેલું પાણી પાવરી શકાય છે


તેમણે કહ્યું કે,“શહેરને દર મહિને માત્ર 1.54 Tmcft પાણીની જરૂર છે. શહેર ઉપરાંત તેની બહારના વિસ્તારો પણ કાવેરીના પાણી પર નિર્ભર છે. શહેર અને તેની બહારના વિસ્તારોને જુલાઈ સુધી 17 tmcft પાણીની જરૂર છે. ડેમમાં હવે 34 tmcft પાણી છે,”


બોર્ડે શહેરની બહારના વિસ્તારોમાં રહેતા લોકોને પીવાના પાણીની બચત કરવા માટે ગૌણ હેતુઓ માટે શુદ્ધ કરેલું  પાણીનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. તેમાં જણાવવામાં આવ્યું હતું કે દરરોજ લગભગ 1,300 MLD પાણી ઉપલબ્ધ છે.


રામપ્રસથ મનોહરે જણાવ્યું હતું કે, "આ સિવાય, બોર્ડ ભૂગર્ભજળના ટેબલને રિચાર્જ કરવામાં મદદ કરવા માટે શહેરના તળાવોને રિફાઇન્ડ કરેલું પાણીથી ભરવા માટે નિષ્ણાતોના સૂચના અપાઇ લેશે.


બોર્ડે 200 બોરવેલને આપી લીલીઝંડી


બોર્ડે 200 બોરવેલ ખોદવાનું શરૂ કરવા માટે લીલીઝંડી આપી છે, આ કામ બહુ ઝડપથી શરૂ થશે. હાલ કાવેરીનો પાંચમા તબક્કાનો પ્રોજેક્ટ અધૂરો રહે છે, શહેરમાં તાજેતરમાં સમાવિષ્ટ થયેલા 110 ગામોને માત્ર 40,000 BWSSB પાણીના જોડાણો પૂરા પાડી શકાય છે. આ જટિલ સમસ્યાને ઉકેલવા માટે, અમે સૌથી વધુ જરૂરિયાતવાળા વિસ્તારોમાં મફત પાણી પહોંચાડવા માટે 79 ટેન્કરોની સુવિધા પણ કરવામાં આવી છે.


વિપક્ષ પાણીની અછતને લઇને વિરોધ પ્રદર્શન કરશે


વિધાનસભામાં વિપક્ષના નેતા આર અશોકાએ માહિતી આપી હતી કે, તેમની પાર્ટી આ મુદ્દે સોમવારે જોરદાર વિરોધ પ્રદર્શન કરશે. તેના જવાબમાં, નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે વિપક્ષને શહેરમાં પીવાના પાણીની કટોકટી દૂર કરવા રચનાત્મક સૂચનો આપવા અનુરોધ કર્યો  છે.