ગાંધીનગર :ફૈઝલ અહેમદ પટેલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ  સીઆર પાટિલ સાથે તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા અનેક અટકળો શરૂ થઇ ગઇ છે.


હાલ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલના પુત્ર ફૈઝલની તસવીર સીઆર પાટિલ સાથે  સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગુજરાતના રાજકારણમાં અનેક અટકળો શરૂ થઇ ગઇ છે પરંતું સીઆર પાટિલે આ મામલે ખુલાસો કરતા આ મુલાકાતને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી છે. ઉપરાંત કૉંગ્રેસ પર દબાણ વધારવા ફૈઝલે તસ્વીરો પોસ્ટ કર્યાનો પણ  ભાજપે દાવો કર્યો છે. ઉલ્લેખનિય છે કે, ફૈઝલ કૉંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર છે.




Gujarat Politics: કોંગ્રેસમાં નવાજૂની એંધાણ, ગુજરાતના આ બે નેતા પહોંચ્યા દિલ્હી દરબારમાં


Gujarat Politics: ગુજરાતના સંગઠનમાં ફેરફાર માટે કોંગ્રેસ હાઈકમાંડ એક્શનમાં આવી ગયું છે. ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખની પસંદગી માટે દિલ્હીમાં મંથન કરવામાં આવી રહ્યું છે. આ માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી દરબારમાં પહોંચ્યા છે. ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા અને શૈલેષ પરમાર દિલ્હી  પહોંચ્યા છે. તેમની સાથે પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ અને કોંગ્રેસના નેતા દીપક બાબરીયા પણ દિલ્હી ગયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ અંગે સત્ય શોધક કમિટીના અહેવાલ અંગે દિલ્હીમાં ચર્ચા થશે. દિલ્હી કોંગ્રેસના નેતાઓ અને ગુજરાતના નેતાઓ વચ્ચે મંથન થશે. તમને જણાવી દઈએ કે ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ગુજરાતમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.


આખરે જ્ઞાનસેતુ પ્રોજેક્ટને લઈ રાજ્ય સરકારનો યૂ ટર્ન



જ્ઞાનસેતુ ડે સ્કુલ પર રાજ્ય સરકારે યુ ટર્ન લીધો છે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે યું ટર્ન અંગે સત્તાવાર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ધોરણ 10માં યોગ્ય પરિણામ આધારિત શાળાઓ ઓછી હતી. ધોરણ 6થી 12 સુધી અભ્યાસ કરવા માટે સ્કોલરશીપ આપવામાં આવશે. ફી 20 હાજર કરતા ઓછી હોય તો વધારાના નાણાં વિદ્યાર્થીના વાલી પાસે બચશે. ખાતાકીય તપાસ અને સીએમ ડેસ્કબોર્ડ અંગે નિર્ણય લેવાયો છે. ત્રણ મહિનામાં તમામ તપાસો પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. જ્ઞાનસેતુ પ્રોજેક્ટ પડતો મુકવાની સરકારની સત્તાવાર જાહેરાત આજે કરવામાં આવી છે. જ્ઞાનસેતુનું નામ બદલી મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ રાખવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, કાલે સાંજે 6 વાગ્યે આ અંગે abp અસ્મિતાએ એક અહેવાલ પ્રસારિત કર્યો હતો. તો બીજી તરફ સ્કોલરશીપમાં પણ સરકારનો ભેદભાવ જોવા મળ્યો છે. સરકારી કરતા ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને વધુ સ્કોલરશીપ આપવામાં આવશે. આ અંગે સરકારે કહ્યું કે, અમે ખાનગી શાળાને પ્રમોટ નહીં વિદ્યાર્થીને પ્રમોટ કરીએ છીએ. મંત્રીજીનું કારણ તો જુઓ, ખાનગી સ્કૂલમાં ફી વધુ હોવાથી સ્કોલરશીપ વધુ અપાઈ છે.