પ્રદ્યુમનસિંહે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારે પહેલેથી જ નક્કી હતું, મારે કોઈ બીજો મતલબ જ નહોતો. હું ધારાસભ્ય છું અને મને ટિકીટ મળે ને ધારાસભ્ય થાઉં તો રજૂઆત કરી શકું. લોકોના પ્રશ્નો સોલ્વ કરી શકું. એટલા માટે ટિકીટનું મારું નક્કી જ કરેલું છે અને ટિકીટ મને 100 ટકા આપશે, એવો મને વિશ્વાસ છે. આજથી પહેલા પણ જેમણે રાજીનામા આપ્યા છે, જેણે વાત કરી છે, એમને કોઈને ટિકીટ ન આપી હોય તેવું અત્યાર સુધીમાં થયું નથી.
રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણી યોજવા માટે અલગ અલગ એક્શન પ્લાન પર કામ શરૂ કરી દીધું છે. હાલમાં સપ્ટેમ્બરમાં ચૂંટણી યોજાય એ ગણતરીએ તમામ તૈયારીઓ ચાલી રહી છે. આ મુદ્દે કેન્દ્રીય ચૂંટણી પંચનું માર્ગદર્શન પણ માંગવામાં આવ્યું છે તેના કારણે ગુજરાતમાં ચૂંટમી આવી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.