ગાંધીનગરઃ ગુજરાતમાંથી વધુ એક બિન ગુજરાતીને રાજ્યસભાની ટિકિટ મળે તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત ક્વોટામાંથી વધુ એક બિન ગુજરાતીને રાજ્યસભાની ટિકિટ મળી શકે છે.  NDAના ઘટક પક્ષ પૈકી એક પક્ષના નેતા ગુજરાતમાંથી રાજ્યસભામાં જઈ શકે છે. લોકસભાની આગામી ચૂંટણી પહેલાં ભાજપ NDAને વધુ મજબૂત કરવા માંગે છે. 24મી જૂલાઈએ યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા ગુરુવાર છેલ્લો દિવસ છે.


રાજ્યસભા માટે વિદેશ મંત્રી એસ જયશંકરે ઉમેદવારી નોંધાવતા હજુ બે ઉમેદવારો બાકી છે. બુધવાર સાંજ સુધીમાં બાકી રહેલા બે ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. સૂત્રોના દાવા મુજબ એક ગુજરાતી અને એક બિનગુજરાતી ઉમેદવાર હોઇ શકે છે.


Rajyasabha Election: વિદેશમંત્રી એસ જયશંકરે ગુજરાતમાંથી રાજ્યસભા માટે બીજી વખત નોંધાવી ઉમેદવારી


ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો ખાલી થઈ રહી છે ત્યારે કેન્દ્રિય ચૂંટણી પંચે 27મી જૂને રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. ભાજપના ત્રણ સાંસદોની ટર્મ 18મી ઓગષ્ટના રોજ પૂર્ણ થઈ રહી છે ત્યારે ત્રણ બેઠકો માટે ચૂંટણી આગામી 24મી જૂલાઈએ યોજાશે. જેના માટે આજે એસ. જયશંકર બપોર ઉમેદવારી ફોર્મ ભર્યું.  ઉમેદવારો માાટે 13મી જૂલાઈએ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ રહેશે. ફોર્મ ભરાયા બાદ 14મી જૂલાઈએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 14મી જૂલાઈએ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે.


ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો માટે આાગમી 24મી તારીખે ચૂંટણી યોજાશે.  એસ. જયશંકરે બીજી વખત ગુજરાતમાંથી રાજ્યસભા ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે રાજ્યસભામાં એસ જયશંકરને રિપિટ કર્યા છે. રાજ્યસભાની 24મી તારીખે ચૂંટણી પૂર્ણ થયા બાદ તે દિવસે જ પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતની ત્રણ બેઠક સહિત રાજ્યસભાની કુલ 10 બેઠકો માટે 24મી જૂલાઈએ ચૂંટણી યોજાશે.


રાજ્યસભામાં ઉમેદવારી નોંધાવ્યા બાદ એસ જયશંકરનું નિવેદન


રાજ્યસભામાં ઉમેદવારી નોંધાવ્યા બાદ એસ જયશંકરે કહ્યું, ગુજરાત, ગુજરાતની જનતા અને ગુજરાતના ધારાસભ્યોનો આભારી છું. 4 વર્ષ બાદ ફરી એક વખત મને સાંસદ બનવાની તક આપી છે. ભારતીય જનતા પાર્ટી અને પ્રધામંત્રીનો પણ આભારી છું. પાડોશી દેશોમાં એક દેશ સાથે આતંકવાદને લઈ ડીલ કરવી અઘરી છે, પ્રધાનમંત્રીએ તેને પણ જવાબ આપ્યો છે. 4 વર્ષમાં મને ઘણું શીખવા મળ્યું છે. નવા ભારતના નિર્માણમાં હું પણ થોડું યોગદાન આપીશ.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial