ગુજરાતના આ ભાજપ સાંસદે નરેન્દ્ર મોદીને પત્ર લખીને આપી જન આંદોલનની ચેતવણી, સરકારી દખલના કારણે ગુસ્સો-આક્રોશ હોવાનું કહેલું
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Dec 2020 10:12 AM (IST)
વસાવાએ રાજીનામાનો નિર્ણય લેતાં પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. વસાવાએ આ પત્રમાં પોતાના મતવિસ્તારમાં લોકો જન આંદોલનની તૈયારી કરી રહ્યા હોવાની ચેતવણી આપી હતી.
ગાંધીનગરઃ ભરૂચના ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ રાજીનામું આપી દેતાં ખળભળાટ મચ્યો છે. વસાવાએ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલને પત્ર લખીને ભાજપના સભ્યપદેથી રાજીનામું આપવાનો ધડાકો કર્યો હતો. વસાવાએ રાજીનામાનો નિર્ણય લેતાં પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. વસાવાએ આ પત્રમાં પોતાના મતવિસ્તારમાં લોકો જન આંદોલનની તૈયારી કરી રહ્યા હોવાની ચેતવણી આપી હતી. ઈકો-સેન્સિટિવ ઝોનના બહાને આદિવાસીઓની માલિકીની જમીનમાં સરકારી દખલગીરીના કારણે લોકોમાં ભારે ગુસ્સો અને નારાજગી હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. વસાવાએ મોદીને લખેલો આખો પત્ર આ પ્રમાણે છે.