ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલય પર આજે બે મહત્વની બેઠક યોજાશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ગાંધીનગરના કોબા કમલમ પર બેઠક યોજાશે. જેમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરૂણ ચુઘ પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં તિરંગા યાત્રા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવશે. 15 ઓગસ્ટની શાનદાર ઉજવણી માટે રાજ્યભરમાં 10 ઓગસ્ટથી ભાજપ તિરંગા યાત્રા કાઢશે. જેની શરૂઆત રાજકોટથી કરાશે. 10 ઓગસ્ટે ભાજપની તિરંગા યાત્રાની શરૂઆત રાજકોટથી કરાશે. જે તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.


રાજકોટમાં 50 હજારથી વધુ લોકો તિરંગા યાત્રામાં જોડાશે. 11 ઓગસ્ટે સુરતમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. સુરતમાં એક લાખથી વધુ લોકો તિરંગા યાત્રામાં જોડાશે. સુરતની તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી અને સી.આર.પાટીલ જોડાશે. 14 અને 15 ઓગસ્ટે હર ઘર તિરંગા યાત્રા યોજાશે. યાત્રાને સફળ બનાવવા મંડળ પ્રમુખથી લઇને મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવશે.


સુરતમાં એક લાખથી વધુ લોકો જોડાય તેવી સંભાવના


 રાજકોટની તિરંગા યાત્રામાં 50 હજારથી વધુ લોકો અને ભાજપના કાર્યકર્તાઓ જોડાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.  તો 11 ઓગસ્ટે સુરતમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં યોજાનારી તિરંગા યાત્રામાં એક લાખથી વધુ લોકો જોડાશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. સુરતની તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહેશે. 14 અને 15 ઓગસ્ટે હર ઘર તિરંગા યાત્રા યોજાશે. તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે મંડળ પ્રમુખથી લઈને મંત્રીઓને તેમની જવાબદારી સોંપવામાં આવી છે.


સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં આવ્યું છે. પ્રદેશ ભાજપના અગ્રણીઓની આજે કમલમમાં મેરેથોન બેઠક યોજાશે. ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સવારે 10 વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી બેઠક ચાલશે. જેમાં જિલ્લા પ્રમુખ અને પ્રભારીઓ હાજર રહેશે. સાથે જ વિવિધ મોરચાના અધ્યક્ષ અને અગ્રણી હોદ્દેદારો પણ બેઠકમાં જોડાશે. જેમાં વિધાનસભાની પેટા ચૂંટણી અંગે પણ બેઠકમાં મંથન થશે. દિવાળી આસપાસ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાશે.