ગાંધીનગરઃ ગુજરાત ભાજપપ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા વધુ બે જિલ્લાનું સંગઠનનું આંતરિક માળખું જાહેર કર્યું છે. સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લા ભાજપનું આંતરીક સંગઠનનું માળખું જાહેર કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 15 જીલ્લા-મહાનગરોનાં ભાજપ સંગઠનનું માળખું જાહેર થઈ ચૂક્યું છે.


સાબરકાંઠામાં જયંતિભાઈ દેવાભાઈ પટેલ(જે.ડી. પટેલ)ની પ્રમુખ, રણજીતસિંહ રાઠોડ, મુળજીભાઈ પટેલ, રવિન્દ્રભાઈ બારોટ, જયેશભાઈ પટેલ, જયંતિભાઈ પટે, પ્રજ્ઞાબેન પટેલ, મુકેશભાઈ સોલંકી અને ભીખુસિંહ ઝાલાની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે વિજયભાઈ પંડ્યા અને કનુભાઈ પટેલની મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત કોદરસિંહ પરમાર, મીનાબેન જોષી, પ્રિયંકાબેન ખરાડી, કપીલાબેન ખાંટ, ભાનુમતીબેન પટેલ, મીનાક્ષીબેન ગઢવી, દિપકકુમાર નિનામા અને વર્ષાબેન સથવારાની મંત્રી તરીકે નિણૂંક કરવામાં આવી છે. જ્યારે જયેશભાઈ શાહની કોષાધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

આવી જ રીતે અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો રાજેન્દ્રકુમાર જેઠાભાઈ પટેલની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તેમજ શામળભાઈ પટેલ, વનિતાબેન રાજાભાઈ પટેલ(આહીર), ભુપતસિંહ સોલંકી, કેસરીસિંહ ઝાલા, રાજુભાઈ નિનામા, લાલસિંહ ચૌહાણ, ચંદ્રીકાબેન શાહ અને દિપકભાઈ પટેલી ઉપપપ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ સિવાય ભીખાજી ઠાકોર, હસમુખભાઈ પટેલ અને શૈલેશભાઈ ભોઇની મહામંત્રી અને મુકેશસિંહ રાઠોડ, કમળાબેન પરમાર, સંગીતાબેન પટેલ, મમતાબેન કલાસવા, ઇન્દિરાબેન ખાંટ, શ્રદ્ધાબેન જોષી, રૂમાલસિંહ પરમાર અને મણીભાઈ પંચાલની મંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે નિશાંતકુમાર પટેલની કોષાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.