Gandhinagar: ગુજરાત પોલીસ બેઠામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, IPS જીએલ સિંઘલે રાજીનામું આપી દીધુ છે, અને તેમનું રાજીનામુ મંજૂર પણ કરી દેવાયુ છે. આઇપીએલ જીએલ જિન્દાલનું નામ ગુજરાતના આ બહુચર્ચિત ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં ખુબ ચર્ચામાં રહ્યું હતુ. ખાસ વાત છે કે IPS જીએલ સિંઘલનુ રાજીનામું મંજૂર થતાંની સાથે જ હવે કમાન્ડો તાલીમનો વધારાનો ચાર્જ અભય ચૂડાસમાને સોંપવામાં આવ્યો છે.


ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં IGP તરીકે કમાન્ડોને તાલીમ આપી રહેલા સિનિયર IPS GL સિંઘલે નિવૃત્તિના બે વર્ષ પહેલાં પોતાની નોકરીને અલવિદા કહી દીધું છે. ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં વરિષ્ઠ આઈપીએસ અધિકારી જીએલ સિંઘલને જ્યારે આરોપી બનાવવામાં આવ્યા ત્યારે તે ખુબ ચર્ચામાં રહ્યાં હતા, હવે તેમણે પોતાના નિવૃત્તિના સમય પહેલા રાજીનામુ આપીને બધાને ચોંકાવી દીધા છે. 




સિંઘલ 1996માં ગુજરાત કેડરના અધિકારી તરીકે પોલીસ સેવામાં જોડાયા હતા. તેમને 2001માં ભારતીય પોલીસ સેવા (IPS)માં સામેલ કરવામાં આવ્યા હતા. સરકારે તેમની નિવૃત્તિ માટેની વિનંતી સ્વીકારી લીધા બાદ હવે નિવૃત્તિનો માર્ગ મોકળો થઈ ગયો છે. સંભવતઃ 5 ઓગસ્ટ તેનો છેલ્લો કાર્યકારી દિવસ હશે.


ઈશરત જહાં કેસ પછી આઈપીએસ જીએસ સિંઘલની ઈમેજ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલીસ ઓફિસર તરીકે બની હતી. જોકે તેઓ આ કેસમાં ધરપકડ કરાયેલા પ્રથમ પોલીસ અધિકારી હતા. આ પછી તેમને જેલ જવાની સાથે 14 મહિના સુધી સસ્પેન્ડ પણ રહેવું પડ્યું હતું. 21 ફેબ્રુઆરી 2013ના રોજ ધરપકડ બાદ જાન્યુઆરી 2015માં તેમને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા. ઈશરત જહાં એન્કાઉન્ટર તેમનું નામ આવ્યા બાદ તેઓ વિવાદોમાં ફસાયા હતા. તેનું નામ અન્ય ઘણા કેસોમાં સામે આવ્યું છે. સીબીઆઈની પકડમાં પણ રહેવું પડ્યું. જેના કારણે તેમની પોલીસ સેવા અધવચ્ચે જ સ્થગિત કરી દેવામાં આવી હતી. 21 એપ્રિલે સિંઘલે પોલીસ મહાનિર્દેશકને નોટિસ મોકલી સ્વૈચ્છિક નિવૃત્તિની પરવાનગી માંગી હતી. સરકારે તેનો સ્વીકાર કર્યો છે. આ પહેલા પણ એકવાર સિંઘલની સેવા છોડવાની ચર્ચા ત્યારે સામે આવી હતી જ્યારે એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ આત્મહત્યા રોકવા માટે એનજીઓ ખોલવા માગે છે.