Gandhinagar News: રાજ્યમાં ફરી એકવાર ગુજરાત સરકાર દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવનારી શિક્ષકોની બદલીના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં મે મહિનામાં વય મર્યાદાને ધ્યાનમાં રાખીને રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આંતરિક બદલી કરવામાં આવનારી છે, જે અંગે નૉટિફિકેશન સામે આવ્યુ છે. મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી બદલીને લઇને વાતો ચાલી રહી છે, હવે આ મામલે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આંતરિક જિલ્લાફેર બદલી કરવામાં આવનારી છે. આગામી 31 મે એટલે કે, 31- 5- 2024 ના રોજ રાજ્યમાં પ્રાથમિક શિક્ષણમાં વય મર્યાદાને ધ્યાનમાં રાખીને નિવૃત્ત થતાં શિક્ષકોને ધ્યાનમાં રાખી બદલી કેમ્પ યોજાશે. આ બદલી કેમ્પને લઇને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને પત્ર લખી જાણ પણ કરવામાં આવી ચૂકી છે. 31 મે, 2024ના રોજ નિવૃત્ત થતાં શિક્ષકોને ધ્યાનમાં રાખીને માહિતી એકત્ર કરવા આદેશો પણ અપાયા છે. 




 


અધ્યાપક સહાયકો માટે મોટા સમાચાર, જાણો સરકારે શું જાહેર કર્યો પરિપત્ર


અધ્યાપર સહાયકો માટે મોટા સમાચાર છે. બિનસરકારી ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપક સહાયકો માટે સરકારે પરિપત્ર જાહેર કર્યો છે. ઓગસ્ટ 2005ના ઠરાવથી નિમણૂંક પામેલા અધ્યાપક સહાયકને લાભ મળશે, આવા બિનસરકારી ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપક સહાયકોની ફિક્સ પે ની સેવાઓને સળંગ ગણાશે. ફિક્સ પે વખતના પાંચ વર્ષના સમયગાળાને શરતોને આધિન ગણતરીમાં લેવાશે. પ્રમોશન , સિનિયોરીટી , હાયર સ્કેલ અને નિવૃત વિષેયક લાભો માટે ફિક્સ પે ના પાંચ વર્ષને પણ ગણતરીમાં લેવાશે. શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. ઠરાવા મુજબ, રાજયની બિન સરકારી અનુદાનિત કોલેજોમાં વિભાગના તા.૨૫/૦૮/૨૦૦૫ના ઠરાવથી નિમણૂક પામેલ અધ્યાપક સહાયકને તેઓની પાંચ વર્ષની ફિક્સ પગારની સેવાઓનેબઢતી,  પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ તેમજ નિવૃત્તિ વિષયક લાભો આપવા માટે સેવા તરીકે નીચેની શરતોને આધીન મંજૂરી આપવામાં આવે છે.આવી ફિક્સ પગારની નોકરીનો સમયગાળો બઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગારધોરણ અને નિવૃત્તિ વિક લાભોની ગણતરી માટે જ ધ્યાને લેવાશે,, આ વિવાય અન્ય કોઇપણ પ્રકારના સેવાકીય/નાણાકીય લાભ મળવા પાત્ર થશે નહીં.




આ ફિક્સ પગારની સેવા ધ્યાને લેવાને કારણેપગારબાંધણી થતાં નક્કી થતાં પગારનો તા.૩૧/૦૩/૨૦૧૯ સુધીના સંપૂર્ણ સમયગાળા સુધીનો કોઇપણ તફાવત [એરીયસ] રોકડમાં કે અન્ય કોઇપણ રીતેચૂકવવા પાત્ર થશે નહી.  અર્થાત તા.૩૧/૦૩/૨૦૧૯ સુધીના સમયગાળા માટે આ ગણતરીમાં નોશનલ કરવાની રહેશે તેમજ તા.૩૧/૦૩/૨૦૧૯ સુધીના સમયગાળાનું કોઇ એરીયર્સ મળવા પાત્ર થશે નહીં. આ  ફિક્સ પગારની સેવાના સમયગાળા માટેકોઇપણ પ્રકારના ઇજાફા ગણતરીમાં, નોશનલના હેતુ માટે પણ ધ્યાને લેવાના રહેશે નહીં. જે કર્મચારીઓને હાલની તારીખે જુની પેન્શન યોજના લાગુ પડે છે તેઓને જુની પેન્શન યોજના લાગુ પડશે. જે કર્મચારીઓ નવી પેન્શન યોજનામાં જોડાયેલ છે તેઓને નવી પેન્શન યોજના જ લાગુપડશે. અર્થાત ફિક્સ પગારની નોકરીનો સમયગાળો ધ્યાને લેવાના કારણે તેઓને હાલમાં લાગુ પડેલી પેન્શન યોજનામાં કોઇ ફેરફાર કરવામાંઆવશે નહીં. આ લાભો 01-04-2019ની અસરથી મળવા પાત્ર થશે.