= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
'અગાઉની સરકારમાં ઘરના પૈસા ભ્રષ્ટાચારની ભેટ ચઢી જતા હતા' વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે અગાઉની સરકારમાં ઘરના પૈસા ભ્રષ્ટાચારની ભેટ ચઢી જતા હતા. પીએમ આવાસ યોજના હેઠળ બની રહેલા ઘર એક યોજના સુધી સિમિત નથી. પીએમ આવાસ યોજના હેઠળના ઘરમાં અનેક યોજનાઓનો સમાવેશ થાય છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ગ્રામ્ય વિસ્તારના 12 હજાર આવાસોનુ લોકાર્પણ કરવામાં આવ્યું ગાંધીનગરમાં આયોજીત અમૃત આવાસોત્સવ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ 1946 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા 42 હજાર 441 આવાસોનું લોકાર્પણ કર્યું હતું. શહેરી વિસ્તારના સાત હજાર 113 આવાસો, ગ્રામ્ય વિસ્તારના 12 હજાર આવાસોનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
'40 લાખ ગરીબ પરિવારોને પોતાનું પાકુ ઘર મળ્યું' વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે લાભાર્થીઓ સુધી પહોંચવા સરકાર ધર્મ કે જાતિ જોતી નથી. 40 લાખ ગરીબ પરિવારોને પોતાનું પાકુ ઘર મળ્યું છે. મકાનને લીધે લાભાર્થીઓનો આત્મવિશ્વાસ વધ્યો છે. જૂની નીતિ પર ચાલીને દેશનું ભાગ્ય ના બદલી શકાય. પહેલાની સરકાર અને અમારી સરકારના કામ કરવામાં ઘણો ફેર છે. ઘર એક આસ્થાનું સ્થળ હોય છે, જ્યાં સપના આકાર લે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમૃત આવાસોત્સવ કાર્યક્રમનું વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું. અમૃત આવાસોત્સવ કાર્યક્રમનું વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દેશનો સતત વિકાસ અમારા માટે મહાયજ્ઞ સમાન છે. ગુજરાતના 25 લાખ લાભાર્થીઓનો આયુષ્યમાન કાર્ડ અપાયા છે. બે લાખ ગર્ભવતી મહિલાઓને પીએમ માતૃ વંદના યોજનાનો લાભ મળ્યો છે. નવી સરકાર બન્યા બાદ ગુજરાતમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયું છે. ગુજરાતની ડબલ એન્જિન સરકાર ડબલ ગતિથી કામ કરી રહી છે . એક સમયે જીવનની મૂળભૂત જરૂરિયાતો માટે લોકોને તરસાવવામાં આવ્યા છે. એક સમયે દેશના લોકોમાં નિરાશા હતી. પરંતુ હવે લોકો એ નિરાશાથી બહાર નીકળી રહ્યા છે. દેશની સરકાર યોજનાઓથી લોકોના જીવન બદલી રહી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
'બાળપણના મિત્રોને સીએમ હાઉસ પર બોલાવવાની મારી ઇચ્છા' વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે પરિવારથી બહાર શિક્ષક એ પહેલો વ્યક્તિ હોય છે જેની સાથે તે વધુ સમય વિતાવે છે. અંગ્રેજી માહોલથી ગ્રામ્ય વિસ્તારોના શિક્ષકોની નોકરી ખતરામાં આવી છે. તેમણે કહ્યું હતું કે બાળપણના મિત્રોને સીએમ હાઉસ પર બોલાવવાની મારી ઇચ્છા છે. આજે પણ મારા શિક્ષકો સાથે હું જીવન સંપર્કમાં છું. મારા બધા જ શિક્ષકોએ મળીને મને ઘણો આનંદ થયો છે. સ્કૂલોના જન્મદિવસ ઉજવીને જૂના શિક્ષકો અને વિદ્યાર્થીઓને બોલાવો છે. દરેક સ્કૂલના સંચાલકોએ સ્કૂલનો જન્મદિવસ ઉજવવો જોઇએ. સરકાર બાળકોના પોષણ પર ખૂબ જ ધ્યાન આપી રહી છે. બાળક ભૂખ્યો જ રહે તે માટે દરેક સમાજે વિચારવું જોઇએ. મીડ ડે મિલથી બાળકમાં દરેક સંસ્કાર જોડાઇ જશે. બદલાવ લાવવાનું કામ શિક્ષણ સારી રીતે કરી શકે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
'WHOના વડાએ ભારતીય શિક્ષકોની પ્રશંસા કરી હતી' વડાપ્રધાને કહ્યું હતું કે ડબલ્યૂએચઓના વડાએ ભારતીય શિક્ષકોની પ્રશંસા કરી હતી. હું આજીવન વિદ્યાર્થી છું તેમ ગર્વથી કહું છુ. 21મી સદીમાં ઝડપથી બદલતા સમયમાં દેશની શિક્ષા વ્યવસ્થા બદલાઇ રહી છે. અગાઉના શિક્ષકો સામે સાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ હતો. આજનો વિદ્યાર્થી નીડર છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
'નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવામાં શિક્ષકોનો મહત્વનો ફાળો છે' વડાપ્રધાન મોદીએ કહ્યુ હતું કે પરિવારથી બહાર શિક્ષક એ પહેલો વ્યક્તિ હોય છે જેની સાથે તે વધુ સમય વિતાવે છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવામાં શિક્ષકોનો મહત્વનો ફાળો છે. આ નીતિથી બાળકોનું જીવન બદલાશે. નવી શિક્ષણ નીતિ પ્રેક્ટિકલ આધારિત છે. વિદ્યાર્થી તમારી પાસેથી ખૂબ જ વધુ શીખે છે. વિદ્યાર્થીઓની જીજ્ઞાસા શિક્ષકો માટે પડકાર સમાન છે. વિદ્યાર્થીઓ માટે માહિતી માટેના અલગ અલગ સ્ત્રોત છે. શિક્ષણની સાથે સાથે સ્વયંને વિદ્યાર્થીના ગાઇડ અને મેન્ટર પણ બનાવીએ. ગૂગલ પર ડેટા મળી શકે પણ નિર્ણય તો પોતે જ લેવો પડે છે. ટેકનોલોજીથી માહિતી મળી શકે પણ યોગ્ય દ્રષ્ટીકોણ તો શિક્ષક જ આપી શકે છે. કઇ જાણકારી યોગ્ય છે કઇ નથી તે એક ગુરુ જ કહી શકે છે. ગુરુ જ વિદ્યાર્થીને મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે પ્રેરિત કરે છે. 21મી સદીના વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકની ભૂમિકા મોટી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વડાપ્રધાને કહ્યું હતું કે તમારી ભૂમિકા ખૂબ જ મોટી છે વડાપ્રધાન મોદીએ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનને સંબોધિત કર્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે તમારી ભૂમિકા ખૂબ જ મોટી છે. અમે સ્કૂલોમાં દીકરીઓ માટે અલગ શૌચાલય બનાવ્યા. ઉમરગામથી અંબાજી સુધી વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ જ નહોતો થતો. આજે આદિવાસી દીકરા-દીકરીઓ ડૉક્ટર અને એન્જિનિયર બની રહ્યા છે. વિદેશી નેતાઓના જીવનમાં ભારતીય શિક્ષકોનું મોટુ યોગદાન છે. ભૂટાનના નાગરિકોને કોઇને કોઇ ભારતીય શિક્ષકે ભણાવ્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અખિલ ભારતીય શિક્ષક સંઘ અધિવેશનમાં પહોંચ્યા વડાપ્રધાન = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
શિક્ષકોના અધિવેશનમાં પહોંચ્યા વડાપ્રધાન વડાપ્રધાન મોદી અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં પહોંચ્યા હતા. ગુજરાત અને દેશભરના શિક્ષકો અધિવેશનમાં ઉપસ્થિત રહેશે. 25 હજારથી વધુ શિક્ષકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તે સિવાય કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વડાપ્રધાન મોદી અમદાવાદ પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પરથી ગાંધીનગર જવા રવાના થયા હતા. ગાંધીનગરમાં પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમા ઉપસ્થિત રહેશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધીના રૂટ પર પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સી.આર.પાટીલ એરપોર્ટ પહોંચ્યા હતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એરપોર્ટ પહોંચ્યા હતા.