ગાંધીનગરઃ ગુજરાતમાં એક સાથે 77 IAS ઓફસિર્સની સાગમટે બદલી કરવામાં આવી છે. સુરત કલેક્ટર ધવલ પટેલને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર બનાવાયા છે. જ્યારે રાજકોટના કલેક્ટર રેમ્યા મોહનની નેશનલ હેલ્થ મિશ્ન, ગાંધીનગરના મિશન ડિરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે રાજકોટના મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલની મહેસાણાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. કચ્છ કલેકટર પ્રવિણા ડી.કે ની બદલી. પંચમહાલ ગોધરા થઈ બદલી. કચ્છમાં સુજન જેન્તીભાઇ મયાત્રા કચ્છ કલેકટર તરીકે આવશે. GSRTCના MD એસ.જે.હૈદરની શિક્ષણ વિભાગમાં અગ્ર સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.


આ ઉપરાંત એમ.એ પંડ્યા દેવભૂમિ દ્વારકાના નવા કલેક્ટર બન્યા છે.  બી.જી પ્રજાપતિની આણંદના DDO તરીકે બદલી કરવામાં આવી છે. સૌરભ પારઘીની જામનગર કલેક્ટર તરીકે બદલી કરાઇ છે. અજય પ્રકાશની આરોગ્ય કમિશનર તરીકે બદલી કરાઇ છે. ગૌરાંગ મકવાણાની અમરેલી કલેક્ટર તરીકે બદલી કરાઇ છે


એસ.કે. હૈદરની ઉચ્ચ શિક્ષણ અગ્ર સચિવ તરીકે નિમણૂક કરાઈ છે. હર્ષદ પટેલને GSRTCના એમ.ડી. તરીકે નિમણૂક અપાઇ છે. પી. ભારતી લેબર કમિશ્નર બન્યા છે. આર.બી. બારડ બરોડા કલેકટર તરીકે નિમણૂક થઈ છે.  આદ્રા અગ્રવાલ રિલીફ કમિશ્નર બન્યા છે.  રવિ શંકર સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ચીફ એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણૂક થઈ છે.  અંજુ શર્માની રોજગાર વિભાગમાં બદલી થઇ છે.