= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બિનઅનિધિકૃત બાંધકામ નિયમિત કરવા માટે કેટલી ફી ચૂકવવી પડશે?
- 50 ચોરસ મીટર સુધીના બાંધકામ માટે રૂ. 3000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે
- 50થી 100 ચો. મીટર સુધી રૂ. 3000 + 3000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે
- 100થી 200 ચો.મી. માટે રૂ. 6000 + 6000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે
- 200 ચો.મી. થી 300 ચો.મી. માટે રૂ. 12,000+ 6000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે
- 300 ચો.મી. વધુ 18,000 વત્તા વધારાના માટે રૂ.150 રૂપિયા દર ચોરસ મીટર
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ઈમ્પેક્ટ ફી બિલ રજૂ ગુજરાત વિધાનસભા ગૃહમાં બિનઅધિકૃત વિકાસને નિયમિત કરવા માટેનું વિધેયક રજૂ કરાયું હતું. મંત્રી ઋષિકેશ પટેલે ગૃહની અંદર ઇમ્પેક્ટ ફી બિલ રજૂ કર્યું હતું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પ્રફુલ પાનસેરીયા,રાજ્ય કક્ષાના સંસદીય બાબતોના મંત્રીએ શું કહ્યું રાજ્યકક્ષાના સંસદીય બાબતોના મંત્રી પ્રફુલ પાનસેરીયાએ કહ્યું, એક દિવસીય સત્રમાં રાજ્યપાલે અભિનંદન પ્રસ્તાવ રજુ કર્યો, કોઇ નિતિ વિષયક નિર્ણય લેવાના ન હતા. 29 ડિસેમ્બર 2002માં પણ એક દિવસીય સત્ર બોલાવાયુ હતું. અધ્યક્ષે પોતાના પાવરથી ચર્ચાનો સમય આપ્યો. રાજ્યપાલના પ્રવચનની બુક લેટ દરેક ધારાસભ્યના તેમના ખાનામાં મુકવામાં આવી હતી પણ કોંગ્રેસ કોઇ પણ મુદ્દે વિરોધ કરવા માંગતી હતી માટે વિરોધ કરી વોક આઉટ કર્યો. બંધારણીય જોગવાઇનો ભંગ થયો નથી. અધ્યક્ષે કોઇ પણ નેતાનું નામ આપવા સુચના આપી હતી, કોંગ્રેસે તે સ્વિકાર્યુ ન હતું માત્ર વિરોધ કર્યો હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કોંગ્રેસના વોકઆઉટ પર મોઢવાડિયાનું નિવેદન કોંગ્રેસના ગૃહમાંથી વોકાઉટ અંગે અર્જુન મોઢવાડિયાનું નિવેદન આપતાં કહ્યું, રાજ્યપાલના સંબોધનની નકલ એમને મળી નથ. કામકાજ સલાહકાર સમિતિની રચના પણ કરવામાં આવી નથી. વિધાનસભાના નિયમોનું ઉલંઘન કરવામાં આવ્યું છે, ઓછામાં ઓછા 3 દિવસ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા થવી જોઈએ. અમે અધ્યક્ષનું પણ નિયમોના ઉલંઘન અંગે ધ્યાન દોર્યું છે. નેતા નક્કી કરવાનો કોઈ સવાલ જ નથી. નામ નક્કી કરી અમારે અધ્યક્ષને મોકલવાનું હોય છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાજ્યપાલે સંબોધનમાં શું કહ્યું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમના સંબધનમાં કહ્યું, પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટવા બદલ આપ સૌને અભિનદન. મારી સરકાર પર પૂર્ણ વિશ્વાસ મૂકી પ્રજાએ ફરી ચૂંટી છે. અભૂતપૂર્વ જનસમર્થન બદલ જનતાનો આભાર માનું છું. ભારતના વિકાસમાં ગુજરાતનું ઉલ્લેખનીય યોગદાન રહ્યું છે તે પ્રજાએ સાબિત કર્યું છે. ગુજરાત હંમેશાથી પથદર્શક રહ્યું છે. ગુજરાતે આપદાઓનો સામનો કરતા કરતા વિકાસ કર્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ગુજરાતે આત્મસાત કર્યો છે. વિકસિત દેશોમાં ભારતની આર્થિક શકિતમાં ગુજરાતે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. મારી સરકાર દ્રઢ નિર્ણય માટે સક્ષમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મારી સરકાર પ્રત્યેક નાગરિકને આત્મનિર્ભર બનાવી રહી છે. નવી ઊંચાઈઓ સર કરવાનો મારી સરકારનો સંકલ્પ છે. જનતાની અપેક્ષા સામે રાખીને ગૃહમાં શ્રેષ્ઠ યોગદાન આપશો તેવી આશા રાખું છું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ગૃહમાં વિપક્ષના બદલે સાથી પક્ષ વાપરવામાં આવ્યો વિધાનસભા સત્રમાં મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં સત્તાપક્ષ અને સાથી પક્ષ શબ્દ પ્રયોગ કર્યો. અધ્યક્ષે પણ પોતાના આભાર પ્રવચનમાં કહ્યું કે આપણે વિપક્ષના બદલે સાથીપક્ષ કહીએ. અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું, મુખ્યમંત્રીએ સાથીપક્ષ કહ્યું તે મને ખૂબ ગમ્યું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અધ્યક્ષ શંકર ચૌધરીએ તમામ ધારાસભ્યોનો આભાર માન્યો સર્વાનુમતે પોતાને અધ્યક્ષ પસંદ કરવા માટે અધ્યક્ષ શંકર ચૌધરીએ સૌનો આભાર માન્યો. તેમણે તટસ્થતાથી લોકશાહીને બળવતર બનાવવા કામ કરવાની અધ્યક્ષ ખાતરી આપી અને જરૂર પડશે તો સિનિયર સભ્યોનું માર્ગદર્શન લેવાની વાત પણ કરી. જે બાદ તેમણે કહ્યું એક ખેડૂતનો પુત્ર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બને તે લોકશાહીની તાકાત છે, આપણા વડીલોએ લોકશાહીની જે કલ્પના કરી હતી તે સાચી ઠરતી હોય તેવું લાગી રહ્યું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ગૃહનું લાઈવ પ્રસારણ કરવા કોંગ્રેસે કરી માંગ ગૃહનું લાઈવ પ્રસારણ કરવા કોંગ્રેસે અધ્યક્ષ સમક્ષ માંગણી કરી હતી. કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ પોતાના વક્તવ્યમાં અધ્યક્ષને ગૃહનું લાઈવ પ્રસારણ શરૂ કરવા માંગણી કરી હતી. તેમણે ગૃહમાં કઈક નવું અને ઇનોવેટીવ કરો તેવી શુભકામના પણ આપી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રમણલાલ વોરાએ શું કહ્યું રમણલાલ વોરાએ ભૂતકાળ યાદ કરીને કહ્યું, 'પાન લીલું જોયુંને તમે યાદ આવ્યાં'. આ પંક્તિ ટાંકીને તેમણે નિવેદન કર્યું, એક સમય એવો હતો જ્યારે આજના વિપક્ષની સંખ્યા સત્તાપક્ષમાં અમારી છે તેટલી હતી. સરકાર તૂટી તેના કેટલાક સાક્ષીઓ આજે પણ અહી છે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
શૈલેષ પરમાર પર વાઘાણીનો પલટવાર ગૃહમાં શૈલેષ પરમારના સવાલ પર જીતુ વાઘણીએ પલટવાર કર્યો કે, આપ વિપક્ષના નેતા નક્કી નથી કરી શક્યા. મુખ્યમંત્રીએ પૂછવું હોય તો પણ કોને પૂછે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વિધાનસભા અધ્યક્ષની નિમણૂકને લઈ કોંગ્રેસના શૈલેષ પરમારે ઉઠાવ્યા સવાલ વિધાનસભા અધ્યક્ષની નિમણૂકને લઈ શૈલેષ પરમારે ગૃહમાં મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું, સત્તા પક્ષે વિધાનસભાની પરંપરા તોડી છે. દર વખતે અધ્યક્ષ નક્કી કરતી વખતે સત્તા પક્ષ વિપક્ષના પૂછે છે. આ વખતે આટલી બહુમતી મળી એટલે વિપક્ષને કર્ટસી ખાતર પણ પૂછ્યું નહીં. અમારું સંખ્યાબળ ઘટયું છે, અમારો જુસ્સો નથી ઘટયો, ભૂતકાળમાં પ્રજાના મુદ્દાઓ જે રીતે ઉઠાવતા હતા તે જ રીતે ઉઠવીશું
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
શંકર ચૌધરી બન્યા નવા અધ્યક્ષ શંકર ચૌધરી ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષ બન્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શંકર ચૌધરીના નામનો પ્રસ્તાવ મૂકયો હતો. ઋષિકેશ પટેલે તેનું સમર્થન કર્યુ હતું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
તમામ ધારાસભ્યો વિધાનસભા ગૃહમાં પહોંચ્યા ગુજરાત વિધાનસભાનું એકદિવસીય સત્ર આજે મળશે. જે માટે તમામ ધારાસભ્યો વિધાનસભા ગૃહમાં પહોંચી ગયા છે. શંકર ચૌધરીની અધ્યક્ષ તરીકે અને જેઠા ભરવાડની ઉપાધ્યક્ષ તરીકે જાહેરાત થશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આજે ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ ઉપાધ્યક્ષની ચૂંટણી હાથ ધરાશે. વિધાનસભામાં રાજ્યપાલનું ઉદબોધન પણ આજના સત્રમાં રહેશે. ત્રણ અપક્ષ ધારાસભ્યોએ ભારતીય જનતા પાર્ટીના સમર્થન માટે સંમતિ દર્શાવી છે. આ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીની સરકારના જે પણ કાર્ય હશે તેમાં પોતાની સંમતિ દર્શાવશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બાયડના અપક્ષ ધારાસભ્યએ શું કહ્યું ભાજપને ટેકો આપવા અંગે બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કહ્યું, પ્રજાના કામ કરવા ભાજપને ટેકો આપ્યો છે. અમારી મહત્વાકાંક્ષા પ્રજાના કાર્યની છે. પ્રજાલક્ષી કામ કરવા સરકાર સાથે કરીશું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અપક્ષ ચૂંટાયેલા 3 ધારાસભ્યો આજે ભાજપને ટેકો જાહેર કરશે 15મી ગુજરાત વિધાનસભાનું આજે એક સત્ર મળશે. સવારે 9 વાગ્યાના અરસામાં અપક્ષ ચૂંટાયેલા ત્રણ ધારાસભ્યો રાજ્યપાલને સમક્ષ જઈને ભાજપને ટેકો જાહેર કરશે. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપને ટેકો જાહેર કરશે. ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ભાજપને ટેકો જાહેર કરશે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ભાજપને ટેકો જાહેર કરશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ક્યારે શરૂ થશે સત્રની કાર્યવાહી 15મી વિધાનસભાનું આજે પ્રથમ સત્ર મળશે. શંકર ચૌધરીની અધ્યક્ષ અને જેઠા ભરવાડની ઉપાઘ્યક્ષ તરીકે વરણી બાદ શરૂ થશે કાર્યવાહી શરૂ થશે.