ગુજરાત પેટાચૂંટણી પરિણામઃ કોંગ્રેસના વધુ એક ઉમેદવારે સ્વીકારી હાર, મતગણતરી સેન્ટરથી નીકળી ગયા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Nov 2020 01:10 PM (IST)
કિરીટસિંહ જાડેજાએ પોતાની હાર સ્વીકારી લીધી છે અને કરજણની જનતાનો આભાર માન્યો હતો. મતદાનના છેલ્લા બે દિવસમાં મતદારોને ડરાવ્યા અને સરકારી તંત્રનો દુરુપયોગ કરી ભાજપે મત મેળવ્યા હોવાનો આક્ષેપ તેમણે લગાવ્યો હતો.
કરજણઃ ગુજરાતમાં તમામ આઠ વિધાનસભા બેઠકો પર અત્યારે કોંગ્રેસ આગળ ચાલી રહ્યો છે. ત્યારે અબડાસા પછી વડોદરા જિલ્લાની કરજણ બેઠક પર પણ કોંગ્રેસના ઉમેદવારે હાર સ્વીકારી લીધી છે. કરજણ કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા મતગણતરી સેન્ટર છોડીને નીકળી ગયા છે. કિરીટસિંહ જાડેજાએ પોતાની હાર સ્વીકારી લીધી છે અને કરજણની જનતાનો આભાર માન્યો હતો. મતદાનના છેલ્લા બે દિવસમાં મતદારોને ડરાવ્યા અને સરકારી તંત્રનો દુરુપયોગ કરી ભાજપે મત મેળવ્યા હોવાનો આક્ષેપ તેમણે લગાવ્યો હતો. આવનારા સમયમાં ડબલ જોશથી મતદારો વચ્ચે જઈશું, તેમ જણાવ્યું હતું. અબડાસા બેઠક પર મતગણતરી પૂરી થાય તે પહેલા જ કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણીએ હાર સ્વીકારી લીધી છે. મતગણતરીની અધવચ્ચે હાર સ્વીકારી લીધી છે. એબીપી અસ્મિતા પર હાર સ્વીકારી છે. તેમણે સ્વીકાર્યું હતું કે, આટલી લીડ કાપવી અશક્ય છે. મારી હારની શક્યતા વધારે છે.