ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા એક પછી એક છૂટછાટ આપવામાં આવી રહી છે. જોકે, સરકારે રાજ્યના આઠ મહાનગરોમાં હજુ રાત્રી કર્ફ્યુ લંબાવવાનો નિર્ણય લીધો છે. 25 સપ્ટેમ્બર સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે. રાત્રે 11  વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે.






ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 161 એક્ટિવ કેસ છે અને 5 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 16 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે અત્યાર સુધી 8,15,386 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે. રાજ્યમાં આજે કોરોનાની 1.40 લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 16 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી.


 


રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,386 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. સુરત કોર્પોરેશનમાં 6,  વડોદરાકોર્પોરેશનમાં 4, જામનગર કોર્પોરેશન 1 અને સુરત 1 નવો  કેસ નોંધાયો છે.  


 


રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 4 લોકોને પ્રથમ ડોઝ અને 1718 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 20392 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 16972 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ ઉપરાંત 18-45 વર્ષનાં 59922 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 50478 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યા છે. આ પ્રકારે 1,49,486 ડોઝ આજના દિવસમાં અપાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,25, 77,634 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.


 


અમદાવાદ, અમદાવાદ કોર્પોરેશન, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ,  દેવભૂમિ દ્વારકા,  ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ,  જામનગર,  જુનાગઢ,જુનાગઢ કોર્પોરેશન,  ખેડા, કચ્છ,  મહીસાગર,મહેસાણા,   મોરબી, નર્મદા, નવસારી,   પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન,  સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડમાં એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.