ગાંધીનગરઃ ગુજરાત સહિત હાલ સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે ગુજરાત સરકારે ઓગસ્ટ મહિનામાં આવતાં તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે, નવરાત્રિને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે આજે ગરબા સંચાલકો ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચી ગયા છે. રાજ્ય સરકાર નવરાત્રિનું આયોજન કરે તે મુદ્દે ભાજપ સંગઠનમાં અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રજૂઆત કરશે. નવરાત્રી વ્યવસાય સાથે જોડાયેલા સંગીતકારો, લાઇટ ડેકોરેશનકારો અને આયોજકો કમલમ પહોંચ્યા છે.
નોંધનીય છે કે, ગત 27મી જુલાઇએ ગરબા આયોજકોએ મુખ્યમંત્રી સાથે આ મુદ્દે વાત કરી હતી. મુલાકાત પછી ગરબા આયોજક ગ્રીષ્મા ત્રિવેદીએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કારણે 30 ઓગસ્ટ સુધી કોઈ પણ આયોજનનો નિર્ણય લેવો શક્ય નથી. તેમણે જણાવ્યું હતું કે, પરિસ્થિતિ આવી જ રહેશે તો નવરાત્રિ નહીં યોજાય. આમ, કોરોનાના કપરા કાળમાં નવરાત્રિના આયોજન માટે મંજૂરીના આયોજનની શક્યતા નહીંવત છે. જોકે,પરિસ્થિતિ સુધરશે તો સરકાર વિચારશે અને નવી ગાઇડલાઇન આપશે. તેમણે આયોજકોની વેદના સાંભળવા બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.
કોરોના વાયરસ મહામારીમા નવરાત્રી ઉજવણીને લઈ આયોજકો ચિંતામાં છે. અમદાવાદ, રાજકોટ તથા સુરત સહિત રાજ્યના અલગ અલગ વિસ્તારોના આયોજકો મુખ્યમંત્રીને મળવા પોહોંચ્યા હતા. આયોજકોએ મુખ્યમંત્રી રૂપાણી સાથે નવરાત્રિના આયોજન અંગે બેઠક કરી હતી. જોકે, હાલ, નવરાત્રિ થશે કે નહીં, તે અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. 30 ઓગસ્ટ પછી આગામી પરિસ્થિતિ જોઇને આ અંગે કોઈ નિર્ણય આવી શકે છે.
ગુજરાતના ગરબા સંચાલકો હવે સી.આર. પાટીલ સામે રજૂઆત કરવા પહોંચ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Aug 2020 12:44 PM (IST)
ગરબા સંચાલકો ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચી ગયા છે. રાજ્ય સરકાર નવરાત્રિનું આયોજન કરે તે મુદ્દે ભાજપ સંગઠનમાં અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રજૂઆત કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -