Gandhinagar: વર્તમાન સમયમાં અદ્યતન ઈન્ટરનેટ અને ટેકનોલોજીના ઉપયોગના પરિણામે આજે તમામ પ્રકારની માહિતી ઈન્ટરનેટ જગતના માધ્યમથી નાગરિકોના આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. આજ કારણે રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૨ થી નવેમ્બર- ૨૦૨૪ સુધીમાં અંદાજે ૮૮ કરોડ ‘આધાર ઓથેન્ટિકેશન’ નોંધ્યા છે.
જ્યારે વિવિધ વિભાગોમાંથી સરેરાશ માસિક ૦૫ કરોડ અને દરરોજ સરેરાશ ૨૨ લાખ જેટલી આધાર ઓથેન્ટિકેશનની અરજી પર સફળતાપૂર્વક પ્રક્રિયા કરવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૮ કરોડ, વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૨ કરોડ તેમજ નવેમ્બર ૨૦૨૪ સુધીમાં ૪૮ કરોડ, એમ કુલ ૮૮ કરોડ ‘આધાર ઓથેન્ટિકેશન’ રાજ્યભરમાં નોંધાયા છે. વર્ષ ૨૦૨૨થી ૨૪ સુધીમાં રાજ્યની ૦૯ વિભાગોની ૨૦૦થી વધુ યોજનાઓની નોંધણી કરવામાં આવી છે.
ફેસ ઓથેન્ટિકેશન એપ્લિકેશનઓથેન્ટિકેશનના વેરિફિકેશનને વધુ સચોટ બનાવવાના ઉમદા હેતુથી ફેસ ઓથેન્ટિકેશન એપ્લિકેશન બનાવવામાં આવી હતી. જેના પરિણામે રાજ્યમાં નાણાકીય વર્ષ ૨૦૨૨થી નવેમ્બર ૨૦૨૪ સુધીમાં ફેસ ઓથેન્ટિકેશનની એપ્લિકેશનના માધ્યમથી ૬૦ લાખથી વધુ નાગરિકોની આધાર નોંધણી થઈ છે.
સિંગલ સાઈન ઓન એપ્લિકેશનરાજ્યના નાગરિકો બહુવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ ઓનલાઈન ઘરે બેઠા લઇ શકે તે માટે સિંગલ સાઈન ઓન એપ્લિકેશન બનાવામાં આવી છે. નાગરિકોની ડિજિટલ ઓળખ સ્થાપિત કરવા સિટીઝન સ્ટેટ સિંગલ સાઈન- ઓન (SSO) સિસ્ટમ વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમ આધાર, PAN, વિદ્યાર્થી આઈ.ડી., રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવી મુખ્ય સેવાઓને સંકલિત કરી આગવી ઓળખ બનાવે છે. જે સરકારી સેવાનો લાભ લેવા આંતર વિભાગો સાથે સુરક્ષિત ડેટા કેપ્ચર- શેયર કરશે.
આ સિસ્ટમ થકી રાજ્યની સરકારી સેવાઓ- યોજનાઓનો લાભ નાગરિકોને આંગળીના ટેરવે મળી રહ્યો છે. સાથે જ આ પેપરલેસ વર્કના માધ્યમથી સમય અને ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૧મી સદી વિજ્ઞાનની સદી કહેવાય છે. આ સદીમાં રોટી, કપડા અને મકાનની સાથોસાથ ઈન્ટરનેટ પણ લોકોની મુખ્ય જરૂરીયાત બન્યું છે. ઈન્ટરનેટનો ઉપયોગ કરતા આપણે કેટલીવાર ‘આધાર ઓથેન્ટિકેશન’ શબ્દ સાંભળ્યો હશે પણ તમને ખબર છે. આધાર ઓથેન્ટિકેશન શું છે ? આધાર ઓથેન્ટિકેશન એ વ્યક્તિની ઓળખને માન્ય કરવાનું એક પ્રક્રિયાત્મક સાધન છે, જેમાં આધાર નંબર, વ્યક્તિના બાયોમેટ્રિક અથવા ડેમોગ્રાફિક વિગતોનો ઉપયોગ કરીને તેમની ઓળખની પુષ્ટિ કરવામાં આવે છે. આ પ્રક્રિયા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા- UIDAI દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે, જે નાગરિકોની વ્યક્તિગત માહિતીની ખરાઈ કરે છે.
આ પણ વાંચો...