ગાંધીનગર:  ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં કોરોના કેસ શૂન્ય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24  કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 31 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 5,81,446 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.  


હાલમાં અત્યાર સુધી 206 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 06 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 200 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,696 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10076 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે કોરોનાને કારણે આજે એક પણ દર્દીનું મોત થયું નથી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે. રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે.  રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે 8,14,696 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.


આજે ક્યાં નોંધાયા કેસ


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 6,  વડોદરા કોર્પોરેશનમાં 5,  તાપીમાં બે, અમદાવાદમાં એક, બનાસકાંઠામાં એક, ભરૂચમાં એક, ભાવનગરમાં એક, દાહોદમાં એક, જૂનાગઢમાં એક, વડોદરામાં એક, વલસાડમાં કોરોનાનો એક કેસ નોંધાયો હતો.


 ક્યાં ન નોંધાયો એકપણ કેસ


આજે અમરેલી, ગીર સોમનાથ, અરવલ્લી, આણંદ, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન,બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહિસાગર, મહેસાણા, પોરબંદર, પાટણ, જામનગર,જૂનાગઢ કોર્પોરેશન, નવસારી, સુરત, સુરેન્દ્રનગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં એક પણ કોરોનાનો કેસ નથી નોંધાયો. 


                                                                       


રાજ્યમાં એક જ દિવસમાં પાંચ લાખથી વધુ લોકોનું રસીકરણ


રાજ્યમાં  રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 161 લોકોને પ્રથમ ડોઝ અને 7561 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 45 થી વધારેની ઉંમરના 114563 નાગરિકોને રસીનો પ્રથમ અને 73187 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 18-45 વર્ષના નાગરિકોને 3,52,483 દર્દીઓને રસીનો પ્રથમ જ્યારે 33491 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 5,81,446 નાગરિકોનું આજના દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 3,50,01,034 ડોઝ અપાઇ ચુક્યા છે.