'બાવળીયાએ કોળી સમજને તોડ્યો, મંત્રી બનવા જ ભાજપમાં જોડાયા, મંત્રી બનીને પોતાના ફાયદા માટે કામ કર્યું'

નવનિયુક્ત અધ્યક્ષ અજીત પટેલે દાવો કર્યો છે. કુંવરજી મંત્રી બનવા જ ભાપજમા જોડાયા હતા. મંત્રી બનીને પોતાના લાભ માટે જ કામ કર્યુ. કુંવરજી બાવળિયાએ સમાજના ભાગલા પાડ્યા. સમાજના બંધારણ વિરુદ્ધ કામ કર્યુ.

Continues below advertisement

ગાંધીનગરઃ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખની જવાબદારીમાંથી કુંવરજી બાવળીયા મુક્ત થયા પછી કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષના પદને લઈ વિવાદ વકર્યો છે. નવ નિયુક્ત અધ્યક્ષે કહ્યું બાવળીયાએ સમાજને તોડવાનું કામ કર્યુ, તેમની પ્રવૃત્તિ સંગઠન વિરોધી હતી. જ્યારે બાવળીયા કહે છે કે સમય આપી નહોતો શકતો એટલે પદમુક્તિ લીધી છે.

Continues below advertisement

બીજી તરફ નવ નિયુક્ત અધ્યક્ષ અજીત પટેલે દાવો કર્યો છે. કુંવરજી મંત્રી બનવા જ ભાપજમા જોડાયા હતા. મંત્રી બનીને પોતાના લાભ માટે જ કામ કર્યુ. કુંવરજી બાવળિયાએ સમાજના ભાગલા પાડ્યા. સમાજના બંધારણ વિરુદ્ધ બાવળીયાએ કામ કર્યુ. 3 કાર્યકાળ પુર્ણ થયા બાદ કોરોનાના કારણે કુંવરજી બાવળીયાને એક વર્ષનું એક્સ્ટેશન અપાયુ હતુ. એક્સટેશનનો સમયગાળો પુર્ણ થતા પ્રમુખ પદ માટે ફરી દાવેદારી નોંધાવી નહોતી. કોળી સમાજની અજમેર ખાતે મળેલી રાષ્ટ્રીય કાર્યકારણીમાં હાજર નહોતા રહ્યા.

Gujarat Corona Cases:રાજ્યમાં આજે કોરોનાના 23 કેસ નોંધાયા, 3,73,452 લોકોનું રસીકરણ

ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 23 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 21 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 3,73,452 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.  

અત્યાર સુધી 254 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 249 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,570 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10076 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે કોરોનાને કારણે આજે એક પણ દર્દીનું મોત થયું નથી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 23  કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 21 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. 

રાજ્યમાં રસીકરણ

હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 18040 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 47903 નાગરિકોને પ્રથમ ડોઝ અને 138772 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષનાં 57228 નાગરિકોને રસીનો પ્રથમ અને 111509 નાગરિકોને રસીનો બોજો ડોઝ અપાયો છે. આ પ્રકારે 3,73,452 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 3,36,37,830 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

 

ક્યાં કેટલા કેસ નોંધાયા 

અમદાવાદ કોર્પોરેશન 8, વડોદરા કોર્પોરેશન 5, સુરત કોર્પોરેશન 2, દાહોદ 1, ગીર સોમનાથ 1, જામનગર 1, જૂનાગઢ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, નવસારી 1, રાજકોટ કોર્પોરેશન 1 અને વડોદરામાં 1 કેસ નોંધાયો છે. 

 

ક્યાં ન નોંધાયો એક પણ કેસ

અમદાવાદ, અમરેલી, આણંદ, , અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં એકપણ કેસ નોંધાયો નથી.

 

Continues below advertisement
Sponsored Links by Taboola