ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કાર્યક્રમ કરે છે. આ કાર્યક્રમમાં તેઓ વિવિધ મુદ્દે ચર્ચા કરે છે. નરેન્દ્ર મોદીની જેમ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મનની મોકળાશ કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું છે.


મુખ્યમંત્રી વિજય રૂપાણી બુધવાર, 7 ઓગસ્ટથી આ કાર્યક્રમની શરૂઆત કરશે. મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ યોજાશે. જેમાં સીએમ રૂપાણી સૌપ્રથમ ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો સાથે સંવાદ કરશે.

7 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વને ત્રણ વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ પ્રસંગે પાંચ વિવિધ યોજનાઓની શરૂઆત કરવામાં આવશે.

જમ્મુ-કાશ્મીરમાં હવે ભારતનો કોઈપણ નાગરિક મિલકત ખરીદી શકશે, થશે આ 10 મોટા બદલાવ, જાણો વિગત

#Article370 મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણીએ શું કર્યુ ટ્વિટ, જાણો વિગત

#Article370 ભાવનગરમાં સાધુએ અનોખી રીતે કરી ઉજવણી, તોપ ફોડી સલામી આપી સરકારના નિર્ણયને આવકાર્યો