ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા NCPમાં મોટું ભંગાણ, કયા જિલ્લામાં 9 દિગ્ગજો જોડાયા ભાજપમાં?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Jan 2021 09:59 AM (IST)
દામનગર પાલિકાના એનસીપીના પ્રમુખ સહિત 9 સદસ્યો ભાજપમાં જોડાયા છે. એનસીપી શાસિત પાલિકાના પ્રમુખ ગોબરભાઈ નારોલા સહિતના 9 સદસ્યોએ કેસરિયો ખેસ ધારણ કર્યો છે.
તસવીરઃ દામનગર પાલિકાના એનસીપીના પ્રમુખ સહિત 9 સદસ્યો ભાજપમાં જોડાયા .
અમરેલીઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી 21મી ફેબ્રુઆરીએ યોજાવાની છે. આ પહેલા ભાજપ અને કોંગ્રેસ તેમજ અન્ય પાર્ટીઓના નેતાઓ અને કાર્યકરો મોટા પાયે પક્ષ પલટા કરી રહ્યા છે. ત્યારે અમરેલીમાં એનસીપીના 9 દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અમરેલીમાં ભાજપે મોટો ધડાકો કર્યો છે. દામનગર પાલિકાના એનસીપીના પ્રમુખ સહિત 9 સદસ્યો ભાજપમાં જોડાયા છે. એનસીપી શાસિત પાલિકાના પ્રમુખ ગોબરભાઈ નારોલા સહિતના 9 સદસ્યોએ કેસરિયો ખેસ ધારણ કર્યો છે. આ ઉપરાંત 3 પૂર્વ સદસ્યો સહિત અન્ય એનસીપીના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. અમરેલી ખાતે એનસીપીના આગેવાનોએ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ નારણ કાછડીયાના હસ્તે ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો.