PM Modi Gujarat Visit : PM મોદીએ જામનગરમાં યોજ્યો રોડ શો, લોકોનું ઝીલ્યું અભિવાદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે
gujarati.abplive.com Last Updated: 10 Oct 2022 07:00 PM
બ્રેકગ્રાઉન્ડ
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી આજે ભરૂચ, આણંદ, અમદાવાદ અને જામનગરમાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ આજના પ્રવાસની શરૂઆત...More
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી આજે ભરૂચ, આણંદ, અમદાવાદ અને જામનગરમાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ આજના પ્રવાસની શરૂઆત ભરૂચથી કરશે. સવારે 11 વાગ્યાની આસપાસ પીએમ મોદી ભરૂચ પહોંચશે.જ્યાં આમોદમાં જાહેર સભા સંબોધશે અને 8,200 કરોડના વિકાસ કામોનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કરશે.બપોરે 1 વાગ્યે આણંદમાં જનસભા સંબોધશે તો બપોરે સવા ત્રણ વાગ્યે અમદાવાદમાં શૈક્ષણિક સંકુલનું ઉદ્ધાટન કરશે. સાંજે સાડા પાંચ વાગ્યે જામનગરમાં વિવિધ પ્રોજેક્ટસનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે અને રાત્રે રાજકોટના સર્કિટ હાઉસમાં રોકાણ કરશે.PM આજે ભરૂચમાં રૂ. 9,460 કરોડના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ સાથે જ સાંજે 5 વાગ્યે તેઓ જામનગરમાં 1460 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદીના આજના કાર્યક્રમ પર નજર કરીએ તો તેમના બીજા દિવસનો કાર્યક્રમ આજે સવારે 11 વાગ્યાથી શરૂ થશે. PM સવારે 11 વાગ્યે ભરૂચમાં 8000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જ્યારે અમદાવાદમાં આ પછી લગભગ 3:15 વાગ્યે મોદી શૈક્ષણિક સંકુલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે, જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સંકુલ છે. આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સુવિધાઓ પ્રદાન કરવામાં મદદ કરશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પીએમ મોદી જામનગર પહોંચ્યા
પીએમ મોદી જામનગર પહોંચ્યા છે. આ દરમિયાન મોદી મોદીના નારા લાગ્યા હતા. તેમણે કહ્યું કે, આજે જામનગર વટ પાડી દીધો. ખૂબ મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.