ગાંધીનગરઃ આજે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. હાલ, ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો મતદાન કરી રહ્યા છે. ગુજરાતમાં એનસીપીના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજાએ પણ આજે રાજ્યસભા માટે મતદાન કર્યું હતું.


મતદાન પછી પત્રકારો સાથે વાત કરતાં ધારાસભ્ય કાંધલ જાડેજાએ જણાવ્યું હતું કે, મેં પક્ષના વ્હીપ અનુસાર મત આપ્યો હતો. કોને મત આપ્યો તે ગોપનીય બાબત છે. આપ તે મને ના પૂછી શકો. મને 2019માં વ્હીપ આપ્યો ત્યારે અમારા પક્ષના આગેવાન શંકરસિંહ વાઘેલા હતા. હાલની સ્થિતિમાં હું એ જ કહી શકું કે મેં પક્ષના વ્હીપ અનુસાર મત આપ્યો છે.