આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સુત્રો પ્રમાણે, રો-રો ફેરીનું સંચાલન કરતી કંપનીએ તેને અનિશ્ચિતકાળ માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. મતલબ કે, આજથી બંધ થયા બાદ રો-રો ફેરી ક્યારે શરૂ થશે તે કંઈ નક્કી થયું નથી.
સુત્રો પ્રમાણે, દહેજના દરિયાકાંઠે જરૂરી ઉંડાઈ ન મળતી હોવાના કારણે રો-રો ફેરી ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ઘોઘા બંદર નજીક પણ રો-રો ફેરીમાં પાણી વધારે ઉંડું ન હોવાથી કૂલિંગ પાઈપ વાટે એન્જિનમાં દરિયાની રેતી તેમજ પ્લાસ્ટિક જેવો કચરો ઘૂસી જતાં રો-રો ફેરી બંધ થઈ ગઈ હતી.