ગાંધીનગરમાં આવેલા સેક્ટર 23માં કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાતા સેક્ટર 23ને કન્ટેઈનમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતું જોકે 19 એપ્રિલ બાદ આજ સુધી સેક્ટર 23માં એક પણ કેસ નહીં નોંધાતા આ સેક્ટરને કન્ટેઈનમેન્ટ ફ્રી જાહેર કરવામાં આવ્યું છે.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે સેક્ટર 23ને કન્ટેઈનમેન્ટ ફ્રી જાહેર કરવામાં આવ્યું છે. આ સેક્ટરમાં છેલ્લા ઘણાં દિવસથી એક પણ કેસ ન નોંધાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.