Semicon India 2023 Event: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ગઇકાલે રાજકોટમાં મેગા ઇનૉગ્યૂરેટ્સ બાદ આજે પીએમ મોદી ગાંધાનગરમાં છે, અને અહીં સેમિકૉન ઇન્ડિયા 2023ની ઇવેન્ટમાં ભાગ લઇ રહ્યાં છે. આજે 28મી જુલાઇએ ગાંધીનગર ખાતે ‘સેમિકૉન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું આયોજન થઇ રહ્યુ છે, આ ઇવેન્ટમાં ભારતમાં સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં રહેલી રોકાણની તકો અંગેનું પ્રેઝેન્ટેશન પણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ઇવેન્ટની શરૂઆતમાં જ મોટા રોકાણની જાહેરાત થઇ છે. 


ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ચાલી રહેલા સેમિકૉન ઇન્ડિયા 2023 ઇવેન્ટની શરૂઆત થઇ ચૂકી છે, ઇવેન્ટની શરૂઆતમાં જ એએમડીએ જાહેરાત કરી છે કે તે ભારતમાં આગામી દિવસમા 400 મિલિયન યૂએસ ડૉલરનું રોકાણ કરશે. એએમડી એ અમેરિકન બેઝ્ડ સેમિ કૉન્ડક્ટર કંપની છે. એએમડીએ ભારતમાં સેમિ કન્ડક્ટર ક્ષેત્રમાં 400 મિલિયન યૂએસ ડૉલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. એએમડી કંપની ભારતમા રિસર્ચ અને ડેવલપમેન્ટ પર ભાર મુકશે. એએમડીના પ્રતિનિધિ અને ચીફ ટેકનૉલોજી ઓફિસર માર્ક પેપરમાસ્ટરએ આ મોટા રોકાણની જાહેરાત કરી છે. 


ખાસ વાત છે કે, આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં સેમિ કન્ડક્ટર ચિપ, ડિસ્પ્લે ફેબ, ચિપ ડિઝાઇન, એસેમ્બલિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો દ્વારા પેનલ ડીસ્કશન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ફૉક્સકૉન, માઇક્રૉન, એએમડી, આઇબીએમ, માર્વેલ, વેદાન્તા, એલએએમ રિસર્ચ, એનએક્સપી સેમી કન્ડક્ટર્સ, એસટી માઇક્રૉઇલેક્ટ્રૉનિક્સ, ગ્રાન્ટવુડ ટેક્નૉલોજીસ, ઇન્ફીનિયૉન ટેક્નૉલોજીસ, અપ્લાઇડ મટિરિયલ્સ અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલી અન્ય જાણીતી કંપનીઓ હાજર રહેશે. 


વડાપ્રધાનના ગાંધીનગરમાં ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમના ઉદ્ઘાટન દરમિયાન મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને બીજા કેટલાય અગ્રણી સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝના વડાઓ હાજર રહ્યાં હતા. ભારત અને ગુજરાતમાં સેમી કન્ડક્ટર ઉદ્યોગમાં નવીનીકરણ, સહભાગિતા અને વિકાસ માટે મહત્વની ઈવેન્ટ ગણવામાં આવી રહી છે.


મોદીએ હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું કર્યું લોકાર્પણ


પ્રધાનમંત્રી મોદી રાજકોટ પહોંચ્યા છે. PM મોદી આજે રાજકોટને અનેક વિકાસ કામોની ભેટ આપશે. સૌથી મહત્વની વાત એ છે કે, PM મોદીએ  હીરાસર ઈન્ટરનેશનલ એયરપોર્ટનું લોકાર્પણ કર્યું છે. આ ઉપરાંત રાજકોટમાં કુલ 2033 કરોડના વિકાસ કામનું લોકાર્પણ કરશે. સૌની યોજનાના લિંક-3ના પેકેજ-8 અને 9નું લોકાર્પણ પણ કરશે. જેનાથી 1 લાખ લોકોને નર્મદાના પાણીનો લાભ મળશે.52 હજાર એકર વિસ્તારને સિંચાઈનું પાણી મળશે. વિકાસકામના લોકાર્પણ બાદ PMની રાજકોટમાં જાહેરસભાને સંબોધશે. જાહેરસભામાં 1 લાખ લોકો બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટથી રાજકોટ આવવા રવાના થયા છે. રાજકોટમાં જંગી સભાને સંબોધન કરશે. રાજકોટના રેસકોર્સમાં ચાર ડોમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. સૌરાષ્ટ્રના ધારાસભ્યો,સાંસદો રાજ્ય સરકારના મંત્રીઓ ઉદ્યોગપતિઓ વેપાર જગતના અલગ અલગ સંગઠનના આગેવાનો અહીં ઉપસ્થિત છે. રાજકોટ મહાનગરપાલિકાના કેકેવી એલીવેટેડ બ્રિજનું લોકાર્પણ પીએમ મોદી કરશે. લોકાર્પણ સાથે જ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ લાઇબ્રેરી અને સુએજ પ્લાન્ટને પણ પ્રધાનમંત્રી ખુલ્લો મુકશે.