જિલ્લો | સહાય મેળવનારા તાલુકા |
કચ્છ | અબડાસા , અંજાર, ભચાઉ, ભુજ, ગાંધીધામ, લખપત, માંડવી, મુંદ્રા , નખત્રાણા , રાપર |
દેવભૂમિ દ્વારકા | ભાણવડ ,. દ્વારકા , કલ્યાણપુર , ખંભાળિયા |
ભરૂચ | આમોદ, અંક્લેશ્વેર, ભરૂચ, હાંસોટ , જંબુસર ,ઝગડિયા ,નેત્રંગ , વાગરા , વાલિયા |
પાટણ | ચાણસ્મા , હારીજ, રાધનપુર ,સમી , સાંતલપુર, શંખેશ્વર |
અમદાવાદ | બાવળા, દેત્રોજ, ધંધૂકા, ધોલેરા, ધોળકા |
મોરબી | હળવદ માળિયા(મી.), મોરબી , ટંકારા , વાંકાનેર |
જુનાગઢ | ભેંસાણ , જૂનાગઢ , કેશોદ , માળિયા (હા), માણાવદર, માંગરોળ , મેંદરડા, વંથલી, વિસાવદર , જૂનાગઢ સિટી |
અમરેલી | અમરેલી , બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, ખાંભા, લાઠી, લિલિયા, રાજુલા, સાવરકુંડલા, કુકાવાવ |
જામનગર | ધ્રોલ, જામજોધપુર ,.જામનગર , જોડિયા ૫. કાલાવાડ , લાલપુર |
પોરબંદર | કુતિયાણા, પોરબંદર , રાણાવાવ |
રાજકોટ | ધોરાજી , ગોંડલ જામકંડોરણા, જસદણ ,જેતપુર, કોટડાસાંગાણી, લોધીકા, પડધરી , રાજકોટ, ઉપલેટા,વીછિયા |
ગીર સોમનાથ | ગીરગઢડા, કોડીનાર , સૂત્રાપાડા , તાલાલા, ઉના ,વેરાવળ |
મહેસાણા | બેચરાજી, કડી, મહેસાણા |
બોટાદ | બોટાદ બરવાળા ,ગઢડા, રાણપુર |
સુરેન્દ્રનગર | ચોટીલા, ચૂડા, દશાડા, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, મૂળી , સાયલા, થાનગઢ, વઢવાણ |
ભાવનગર | ભાવનગર, ઉમરાળા, વલ્લભીપુર, જેસર , મહુવા, શિહોર |
સુરત | બારડોલી મહુવા માંડવી (સુ) માંગરોળ, ઓલપાડ, ઉમરપાડા |
નવસારી | જલાલપોર |
નર્મદા | નાંદોદ |
આણંદ | સોજીત્રા, તારાપુર |
રૂપાણી સરકારના 3700 કરોડના રાહત પેકેજ માટે ક્યા તાલુકાના ખેડૂતો કરી શકશે અરજી ? જુઓ આ રહી સંપૂર્ણ યાદી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
આ સહાય રાજ્યના 20 જિલ્લાના 123 તાલુકાના 37 લાખ હેક્ટર જમીનના માલિક 27 લાખ ખેડૂતોને મળશે.
NEXT
PREV
ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થયેલા પાક નુકસાન અંગે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થયેલા પાક નુકસાન અંગે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું હતું.
આ સહાય રાજ્યના 20 જિલ્લાના 123 તાલુકાના 37 લાખ હેક્ટર જમીનના માલિક 27 લાખ ખેડૂતોને મળશે. રાજ્યના નીચેના 20 જિલ્લાના 123 તાલુકાને સહાય મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -