ગીર સોમનાથઃ ઉના તાલુકાના સમઢીયાળા ગામના ચાર યુવાનોને કથિત ગૌરક્ષકોએ જાહેર બજારમાં ઢોર માર માર્યો હતો. જેના પડઘા દિલ્લી સુધી પડ્યા હતા. આ ઘટના દિવસેને દિવસે હિંસક બનતી જઇ રહી છે. તો બીજી તરફ રાષ્ટ્રીય નેતા ગીર સોમાનાથના ઉનાના સમઢીયાળાના પીડિત પરિવારની મુલાકાત લઇ રહ્યા છે. જેના લીધે ઉના સમગ્ર દેશની રાજનીતિનું કેંદ્ર બન્યું છે. આ ઘટનામાં વધુ હિંસા ન ફેલાય એટલા માટે અને જિલ્લમાં રાષ્ટ્રીય નેતાની અવર જવર વધુ હોવાથી, જ્યારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે, ત્યારે ગીર સોમાનાથ જિલ્લીમાં 144 કલમ લગાડવામાં આવી છે. રાજ્યમાં વણસી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કલમ 144 તારીખ 31-7-2016 સુધી લગાડવામાં આવી છે.