Corona News Update Live:રાજકોટમાં કોરોનાથી મૃત્યુઆંક વધતાં ચિંતામાં વધારો, છેલ્લા 5 દિવસમાં કોરોનાથી 15 દર્દીઓ મોતને ભેટ્યાં

રાજકોટ જીવલેણ બનતો કોરોનાએ ચિંતા વધારી છે. પાંચ દિવસમાં 15 દર્દીઓ મોતને ભેટ્યાં છે. રાજકોટ શહેરમાં રોજના ત્રણ મોત થાય છે.

gujarati.abplive.com Last Updated: 02 Feb 2022 10:14 AM
પંચમહાલ જિલ્લામાં આજે વધુ 98 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, આજે વધુ 2 કોરોના પોઝિટીવ દર્દીના મોત થયા

ગઈ કાલે પણ 2 દર્દીના મોત નિપજયા હતા, છેલ્લા 24 કલાકમાં 4 દર્દીના મોત થયા છે. જિલ્લાના ગોધરા તાલુકામાંથી 04,હાલોલ 66 કાલોલ 01, શહેરા.01 ઘોઘંબા 14 જાંબુઘોડા 12 કેસ નોંધાયા છે. જિલ્લાના 75 કોરોના દર્દીઓ આજે કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.જિલ્લાના કુલ કોરોના પોઝિટિવ એક્ટિવ કેસ ની સંખ્યા 448 પર પહોંચી છે.


મહીસાગર જિલ્લામાં આજે કોરોનાના 16 પોઝીટીવ કેસ નોંધાયા છે. લુણાવાડા તાલુકામાં 13 અને ખાનપુર તાલુકામાં 3 કેસ નોંધાયા છે.જિલ્લામાં આજે 15 લોકોએ કોરોનાને મ્હાત આપી  છે. જિલ્લામાં કોરોનાના 121 એક્ટિવ કેસ નોંધાયા છે.

કોરોના કેસમાં ધરખમ ઘટાડો, દ્વારકાના જિલ્લામાં માત્ર 16 નવા પોઝિટિવ કેસ નોંધાયા

દ્વારકા જિલ્લામાં આજે 16 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે 34 કોરોના દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે તો
દ્વારકા માં કોરોનાને કારણે એક નું મોત થયું છે. દ્વારકા આરોગ્ય તંત્ર અને નાગરિકોની જાગરૂકતાને કારણે કોરોના કેસો માં નોંધપાત્ર ઘટાડો થયો છે. દ્વારકામાં  10,.  ભાણવડમાં 1,  કલ્યાણપુરમાં 1, , ખંભાળિયામાં 4  કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે.


આણંદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં  કોરોના પોઝિટિવ 95 કેસ નોંધાયા છે.  આણંદ 57, આકલાવ 1, બોરસદ 9,
ખંભાતમાં  3 અને પેટલાદમાં  20 કેસ નોંધાયા છે. તો સોજીત્રામાં  નવા  3 અન ઉમરેઠ 2 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 8338 કેસ, 38 લોકોના મોત

ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે વધારો થયો છે.  આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 8338  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 75464 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 229 લોકો વેન્ટીલેટર પર છે. 75235 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1083022 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10511 લોકોના મોત થયા છે. 

પાટણ જિલ્લામાં આજે 24 કલાકમાં 224નવા કેસ નોંધાયા છે. 2,072 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. તો 2,058 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ પેન્ડિંગ છે. જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવના 3,784કેસ નોંધાયા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,61,386 નવા કેસ નોંધાયા તો 1733 દર્દીએ જીવ ગુમાવ્યાં

દેશમાં કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં  1,61,386  નવા કેસ નોંધાયા છે અને 1733 લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2,81,109 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 16,21,603 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 9.26 ટકા છે.


Pfizer એ બુધવારે યુ.એસ.ને 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કોવિડ-19 રસીના વધારાના ઓછા ડોઝને મંજૂરી આપવા માંગ કરી હતી. એવું માનવામાં આવે છે કે જો બધું બરાબરરહેશે તો તો યુ.એસ.માં નાના બાળકો માટે માર્ચની શરૂઆતમાં સંભવિત ડોઝિંગ શરૂ કરવામાં આવી શકે છે. 

બ્રેકગ્રાઉન્ડ

રાજકોટ જીવલેણ બનતો કોરોનાએ ચિંતા વધારી છે.  પાંચ દિવસમાં 15 દર્દીઓ મોતને ભેટ્યાં છે. રાજકોટ શહેરમાં રોજના ત્રણ મોત થાય છે. અહીં કેસમાં ઘટી રહ્યાં છે પરંતુ મૃત્યુની ઘટના વધતાં ચિંતામાં વધારો થયો છે. તબીબોનું તારણ છે કે, કોરોના પેર્ટન બદલીને હવે ફરી ફેફસા સુધી પહોંચી રહ્યો છે.

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં વધુ 2,196 કેસ નોંધાયા છે. તો ગઈ કાલે 1039 કેસ હતા આજે 1157 કેસ વધ્યા.હાલ શહેરમાં 16,782 એક્ટિવ કેસ છે. 16,333 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. તો હોસ્પિટલમાં સારવાર હેઠળ 449 દર્દીઓ છે.
145 દર્દીઓ ઓક્સિજન પર છે. 71 દર્દીઓ વેન્ટિલેટર પર  અને ત્રણ દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. વધુ 19 વિસ્તારમાં નવા કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.