રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1681 નવા કેસ નોંધાયા છે અને 18  દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9833  પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 4,721 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

રાજ્યમાં અત્યાર સુધી 7,66,991 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 32345 પર પહોંચ્યો છે. જેમાંથી 496 દર્દી વેન્ટિલેટર પર અને 31849 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.79  ટકા છે.  

કોરોનાની બીજી લહેરમાં રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે પણ રાહતના સમાચાર આવ્યા છે. નવા કેસની સંખ્યા 10 કરતાં પણ ઓછી આવી છે. જેમાં ગાંધીનગરમાં 9, અમદાવાદ 6, દાહોદ 6,  છોટા ઉદેપુરમાં 5, સુરેન્દ્રનગર 5, નર્મદા 4, તાપી 4, મોરબીમાં 1, બોટાદ અને ડાંગમાં  0 કેસ નોંધાયા છે. જ્યારે આ 10  જિલ્લામાં એક પણ મોત નથી થયું. 

જેમાં ગાંધીનગરમાં 29, અમદાવાદ 21, દાહોદ 39,  છોટા ઉદેપુરમાં 5, સુરેન્દ્રનગર 32, નર્મદા 43, તાપી 11, મોરબીમાં 23, બોટાદ 6 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

 

ક્યાં કેટલા કેસ નોંધાયા ?

અમદાવાદ કોપોરેશન 264, વડોદરા કોપોરેશન 212,   સુરત કોપોરેશન 155,   વડોદરા 115,રાજકોટ કોર્પોરેશન 82,  પોરબંદર 71, જુનાગઢ 70,   સુરત 62,  ગીર સોમનાથ 45, રાજકોટ 45, નવસારી 44,  જામનગર કોર્પોરેશન 43, ભરૂચ 41, આણંદ 36, પંચમહાલ 34, ખેડા 33, વલસાડ 32, બનાસકાંઠા 30, કચ્છ 30, અમરેલી 28, દેવભૂમિ દ્વારકા 22, જામનગર 22,  સાબરકાંઠા 21,  જૂનાગઢ કોર્પોરેશન 15, મહેસાણા 17, અરવલ્લી 13,   ભાવનગર કોર્પોરેશન 12,  ગાંધીનગર કોર્પોરેશન 12, મહીસાગર 12, ભાવનગર 10, પાટણ 10, ગાંધીનગર 9, અમદાવાદ 6, દાહોદ 6,  છોટા ઉદેપુર 5, સુરેન્દ્રનગર 5, નર્મદા 4,  તાપી 4, મોરબી 1 બોટાદ 0 અને ડાંગમાં 0 કેસ સાથે કુલ 1681   નવા કેસ નોંધાયા છે. 

ક્યાં કેટલા મોત થયા ?

અમદાવાદ કોપોરેશન 4, વડોદરા કોપોરેશન 2,   સુરત કોપોરેશન 1,   વડોદરા 1,રાજકોટ કોર્પોરેશન 0,  પોરબંદર 0, જુનાગઢ 0,   સુરત 1,  ગીર સોમનાથ 0, રાજકોટ 0, નવસારી 0,  જામનગર કોર્પોરેશન 1, ભરૂચ 0, આણંદ 0, પંચમહાલ 1, ખેડા 0, વલસાડ 0, બનાસકાંઠા 1, કચ્છ 0, અમરેલી 0, દેવભૂમિ દ્વારકા 0, જામનગર 1,  સાબરકાંઠા 1,  જૂનાગઢ કોર્પોરેશન 0, મહેસાણા 1, અરવલ્લી 0,   ભાવનગર કોર્પોરેશન 1,  ગાંધીનગર કોર્પોરેશન 0, મહીસાગર 1, ભાવનગર 1, પાટણ 0, ગાંધીનગર 0, અમદાવાદ 0, દાહોદ 0,  છોટા ઉદેપુર 0, સુરેન્દ્રનગર 0, નર્મદા 0,  તાપી 0, મોરબી 0 બોટાદ 0 અને ડાંગમાં  0  મોત  સાથે કુલ 18  મોત નોંધાયા છે. 

 

રાજ્યમાં આજે કુલ  2,00,317 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે.  રાજયમાં સાજા થવાનો દર  94.79 ટકા છે.