નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદી કાંઠા વિસ્તારોમાં આવેલા ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં આવેલા ગામના લોકોને સ્થાળાંતર કરાયા છે. અનેક ગામડાઓમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.  રામાનંદ આશ્રમમાં 100 સાધુ સંતો સહિત ભક્તો પાણી ભરાવાના કારણે ફસાયા છે. નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં આવેલુ વસંતપરા ગામની બાજુમાં પણ લોકો ફસાયા છે. NDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. 


નાંદોદ તાલુકાના ગુવાર ગામ ખાતે રામાનંદ આશ્રમ ખાતે હજુ પણ 100થી વધુ લોકો પાણી ભરાવાના કારણે ફસાયા છે. આશ્રમના ગુરુ અભિરામદાસજી મહારાજ પણ રામાનંદ આશ્રમ ખાતે  ફસાયા છે. જો કે એન ડી આર એફની ટીમ આ તમામ લોકોને સુરક્ષિત બહાર લાવવા માટે પ્રયાસો કરી રહી છે.  એનડીઆરએફની ટીમને રામાનંદ આશ્રમ સુધી પહોંચવામાં અનેક અડચણો આવી રહી છે.  આશ્રમના બીજા માળ સુધી પાણી પહોંચી ગયું છે. 


સરદાર સરોવર નર્મદા ડેમની જળ  સપાટીમાં થયો ઘટાડો


સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ઘટાડો થયો છે. નર્મદા નદીના કાંઠા વિસ્તારના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઈ જતાંજળના વધામણાં કર્યા હતા. મુખ્યમંત્રીએ રવિવારે વહેલી સવારે એકતા નગર પહોંચ્યા હતા અને નર્મદાના પવિત્ર જળનું પૂજન કર્યું હતું. 


સરદાર સરોવર નર્મદા ડેમ સાંજે 6 કલાકે 


નર્મદા કાંઠાવાસીઓ માટે વધારે રાહતના સમાચાર સામે આવ્યા છે.  પાણીની સપાટીમાં ઘટાડો નોંધાયો છે.   3 કલાકમાં 8 સે.મીનો ઘટાડો નોંધાયો છે. પાણીની આવકમાં ઘટાડો થયો છે.  3 કલાકમાં 1,08,467 ક્યુસેકનો ઘટાડો થયો છે.  પાણીની જાવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.  3 કલાકમાં 1,08,220 ક્યૂસેકનો ઘટાડો થયો છે.  નર્મદા ડેમ પાણીની સપાટી - 138.60 મીટર પર છે.