દીવ: દીવમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દીવમાં આજે કોરોના વાયરસના નવા 11 કેસ નોંધાયા છે. સંઘ પ્રદેશ દીવમાં કોરોનાના કેસ ઝડપથી વધતા આરોગ્ય વિભાગ પણ ચિંતિત છે. વણાંકબારામાં સંક્રમણ વધતા 31 જુલાઈ સુધી સ્વયંભૂ બંધની સરપંચે જાહેરાત કરી છે.


દીવના વણાકબારામાં સંક્રમણ વધતા 31 જુલાઈ સુધી સ્વયંભૂ બંધની જાહેરાત કરવામાં આવી છે. દૂધ અને મેડીકલ સ્ટોર્સ ખુલ્લા રહેશે. બાકીની તમામ દુકાનો બંધ રાખવામાં આવશે.

દીવ જિલ્લામાં ફરી આજે એક સાથે 10 કોરોનાના કેસ નોંધાયા છે. એક વ્યક્તિ ફરી વખત કોરોના પોઝિટિવ આવતા આજના કેસની સંખ્યા 11 થઈ છે. જેમાં વણાકબારામાં 8 કેસ, ઘોઘલામાં 2 અને દીવમાં કોરોનાનો એક કેસ પોઝિટિવ નોંધાયો છે. દીવમાં વધતા જતાં સંક્રમણને કારણે પ્રશાસન અને પ્રજા બંને ચિંતિત છે.