ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 21225 કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસોનો આંકડો 116843 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 172 લોકો વેન્ટીલેટર પર છે. 116671 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 895730 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10215 લોકોના મોત થયા છે. 


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 21,225 કેસ


રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 21,225 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. બીજી તરફ 9,245  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,95,730 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 87.58 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  16 મોત થયા. આજે 2,10,600 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 8627, વડોદરા કોર્પોરેશનમાં 2432, સુરત   કોર્પોરેશનમાં 2124,  રાજકોટ કોર્પોરેશનમાં 1502, ગાંધીનગર કોર્પોરેશન 612,  સુરતમાં 452,  ભરુચ 412, વડોદરા 409, ભાવનગર કોર્પોરેશનમાં 404, વલસાડમાં 380,આણંદ 343,  જામનગર કોર્પોરેશનમાં 330, મહેસાણા 314, નવસારી 285, રાજકોટ 252, મોરબી 251, પાટણ 216, કચ્છ 206,  ગાંધીનગરમાં 203, બનાસકાંઠા 179,  અમદાવાદમાં 177, અમરેલી 135, સાબરકાંઠા 112,  જામનગરમાં 110,ખેડા 108, સુરેન્દ્રનગર 103, તાપી 76, દાહોદ 69, પોરબંદર 61, જૂનાગઢ કોર્પોરેશન 56, દેવભૂમિ દ્વારકા 55, પંચમહાલ 55,  ગીર સોમનાથમાં 37, ભાવનગર 36, નર્મદા 36, અરવલ્લી 18, મહીસાગર 16, જૂનાગઢ 13, બોટાદ 7, છોટા ઉદેપુર 7 અને  ડાંગમાં 5 નવા કેસ નોંધાયા હતા.


રાજ્યમાં એક્ટિવ કેસ 116843 કેસ


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 116843 કેસ છે. જે પૈકી 172 વેન્ટીલેટર પર છે, જ્યારે 116671 નાગરિકો સ્ટેબલ છે. 8,95,730 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,215 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 16 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા  કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશન 2, સુરત 2, વડોદરા 1, ખેડા 1 અને ભાવનગરમાં 1 દર્દીનું મોત થયું છે.


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 30 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 459 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 5354 લોકોને પ્રથમ અને 24594 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 27654 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 64065 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 36330 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 52114 લોકોને અપાયો છે.  આજે કુલ 2,10,600 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,60,39,803 લોકોને રસી અપાઈ છે.