ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 23150 કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસોનો આંકડો 1,29,875 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 244 લોકો વેન્ટીલેટર પર છે. 129631 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 905833 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10230 લોકોના મોત થયા છે. 


ગુજરાતમાં કોરોનાના કેસ


રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 23, 150 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. બીજી તરફ 10,103  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  9,05,833 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 86.60 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  15 મોત થયા. આજે 1,88,588 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 8194, વડોદરા કોર્પોરેશનમાં 2823, સુરત   કોર્પોરેશનમાં 1876,  રાજકોટ કોર્પોરેશનમાં 1707, વડોદરા 886, સુરત 612, આણંદ 565, જામનગર કોર્પોરેશન 563,  ગાંધીનગર કોર્પોરેશન 547, કચ્છ 462,   ભરુચ 448,   ભાવનગર કોર્પોરેશનમાં 401,  મોરબી 373, વલસાડમાં 359,    ગાંધીનગરમાં 327, રાજકોટ 322, બનાસકાંઠા 252, નવસારી 240, મહેસાણા 238, પાટણ 236, અમરેલી 213,  સાબરકાંઠા 186, ખેડા 169, જામનગર 167, સુરેન્દ્રનગર 144,  અમદાવાદમાં 138, જૂનાગઢ કોર્પોરેશન 104, તાપી 87, દાહોદ 81, પંચમહાલ 74,  દેવભૂમિ દ્વારકા 73,  જૂનાગઢ 52, પોરબંદર 51, નર્મદા 46, ભાવનગર 35,   ગીર સોમનાથમાં 35,મહીસાગર 20, બોટાદ 16, અરવલ્લી 12, છોટા ઉદેપુર 8 અને  ડાંગમાં 8 નવા કેસ નોંધાયા હતા.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 129875 કેસ છે. જે પૈકી 244 વેન્ટીલેટર પર છે, જ્યારે 129631 નાગરિકો સ્ટેબલ છે. 905833 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,230 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 15 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત  કોર્પોરેશનમાં 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત 3, ભાવનગર કોર્પોરેશનમાં 3, નવસારી  1, અને અમદાવાદમાં 1 દર્દીનું મોત થયું છે.


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 11 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 256 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 5547 લોકોને પ્રથમ અને 20484 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 24848 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 58029 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 37389 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 42024 લોકોને અપાયો છે.  આજે કુલ 1,88,588 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,62,28,391 લોકોને રસી અપાઈ છે.