ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 16617 કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસોનો આંકડો 134837 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 258 લોકો વેન્ટીલેટર પર છે. 134579 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 9,17,469 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10249 લોકોના મોત થયા છે. 


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16,617 કેસ


રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં આજે ઘટાડો થયો છે.   રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16,617 કેસ નોંધાયા છે. બીજી તરફ 11,636  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 9,17,469 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 86.35 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  19 મોત થયા. આજે 1,16,936 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 6191, વડોદરા કોર્પોરેશનમાં 2876, સુરત   કોર્પોરેશનમાં 1512, વડોદરા 779, સુરત 639,  રાજકોટ કોર્પોરેશનમાં 410, ભાવનગર કોર્પોરેશન 399,  ગાંધીનગર કોર્પોરેશન 398, આણંદ 291, ભરુચ 269, મહેસાણા 266, વલસાડ 246, પાટણ 213, રાજકોટ 211, ગાંધીનગર 203, અમરેલી 175, કચ્છ 175, નવસારી 154, જામનગર કોર્પોરેશન 138, બનાસકાંઠા 107, ખેડા 105, મોરબી 102, અમદાવાદ 86, જૂનાગઢ કોર્પોરેશન 80,  સુરેન્દ્રનગર 72, દેવભૂમિ દ્વારકા 63, દાહોદ 42, જામનગર 42, સાબરકાંઠા 41,  નર્મદા 40, ગીર સોમનાથ 38, જૂનાગઢ 37, છોટા ઉદેપુર 36, પોરબંદર 33, તાપી 31, પંચમહાલ 30, ભાવનગર 29, ડાંગ 19, અરવલ્લી 18, બોટાદ 12 અને મહીસાગર 9 કેસ નોંધાયા છે. 


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 134837 કેસ છે. જે પૈકી 258  વેન્ટીલેટર પર છે, જ્યારે 134579 નાગરિકો સ્ટેબલ છે. 917469 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,249 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 19 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 6, સુરત  કોર્પોરેશનમાં 2, સુરત 2, ભાવનગર કોર્પોરેશન 1, મહેસાણા 1, વલસાડ 3, નવસારી 1, બનાસકાંઠા 2 અને દાહોદમાં 1 દર્દીનું મોત થયું છે.


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 5 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 570 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 3668 લોકોને પ્રથમ અને 16900 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 14210 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 52561 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 11598 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 17424 લોકોને અપાયો છે.  આજે કુલ 1,16,936 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,63,45,327 લોકોને રસી અપાઈ છે.