ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 13805 કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસોનો આંકડો 135148 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 284 લોકો વેન્ટીલેટર પર છે. 134864 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 930938 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10274 લોકોના મોત થયા છે. 


ગુજરાતમાં કોરોના વાયરસના કેસ


રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં આજે ઘટાડો થયો છે.   રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13805  કેસ નોંધાયા છે. બીજી તરફ 13,469  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 9,30,938 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 86.49 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  25 મોત થયા. આજે 1,70,290 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 4361, વડોદરા કોર્પોરેશનમાં 2534, સુરત   કોર્પોરેશનમાં 1136,   રાજકોટ કોર્પોરેશનમાં 889, વડોદરા 721,  ગાંધીનગર કોર્પોરેશન 325, ભાવનગર કોર્પોરેશન 295, કચ્છ 282, મોરબી 267, રાજકોટ 260, પાટણ 242, સુરત 238, મહેસાણા 231, ભરુચ 190, નવસારી 160, બનાસકાંઠા 156, આણંદ 150, ગાંધીનગર 148, વલસાડ 141, જામનગર કોર્પોરેશન 140, સુરેન્દ્રનગર 113, અમરેલી 109, ખેડા 89, અમદાવાદ 80, પંચમહાલ 76, નર્મદા 57, જૂનાગઢ કોર્પોરેશન 54, પોરબંદર 52, સાબરકાંઠા 45, ગીર સોમનાથ 43, જામનગર 43, દાહોદ 39, જૂનાગઢ 31, ભાવનગર 27, તાપી 19, છોટા ઉદેપુર 17, મહીસાગર 17, અરવલ્લી 14, દેવભૂમિ દ્વારકા 7, બોટાદ 6 અને ડાંગમાં 1 કેસ નોંધાયો છે. 


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 135148 કેસ છે. જે પૈકી 284  વેન્ટીલેટર પર છે, જ્યારે 134864 નાગરિકો સ્ટેબલ છે. 930938 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,274 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 25 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 6, વડોદરા  કોર્પોરેશનમાં 3,  સુરત કોર્પોરેશન 3,રાજકોટ કોર્પોરેશનમાં 2, વડોદરા 1, ભાવનગર કોર્પોરેશન 1, કચ્છ 1, સુરત 1,  મહેસાણા 1, વલસાડ 1, જામનગર કોર્પોરેશન 3, પંચમહાલ 1, ભાવનગરમાં 1 દર્દીનું મોત થયું છે.


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 11 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 344 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 4809 લોકોને પ્રથમ અને 18789 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 22239 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 48791 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 24972 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 50335 લોકોને અપાયો છે.  આજે કુલ 1,70,290 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,65,15,617 લોકોને રસી અપાઈ છે.