Coronavirus: રાજ્યમાં આજે 1384 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, અત્યાર સુધી કુલ 2,14,223 લોકો સ્વસ્થ થયા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Dec 2020 09:02 PM (IST)
આજે વધુ 1384 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 2,14,223 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
ફાઈલ તસવીર
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થયો છે. રાહતની વાત એ છે કે, કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ 1384 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 2,14,223 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યમાં કોરોના રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 92.71 ટકા છે. રાજ્યમાં કોરોના ટેસ્ટીંગની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે. આજે 54,864 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં 88,35,130 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું હોય તેવી ચિત્ર સામે આવી રહ્યું છે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1160 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 10 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4203 પર પહોંચ્યો છે.